

છેલ્લાં ઘણા સમયથી ગુજરાતમાં ભાજપના ધારાસભ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાના વિસ્તારની સમસ્યાના ઉકેલ માટે પત્રો લખી રહ્યા છે.શિસ્તની પાર્ટી ગણાતા ભાજપમાં નેતાઓના પત્રોથી એવું નવામાં આવતું હતું કે, ભાજપમાં મોટા પાયે અસંતોષ છે, પરંતુ એવું નથી.
ZEE ન્યૂઝન અહેવાલ મુજબ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કોઇ સમસ્યા પર આંદોલન કરવાનું વિચારે તે પહેલા સરકાર જ ધારાસભ્યોને પત્ર લખવાનું કહી રહી છે. જો AAP કે કોંગ્રેસ ઇશ્યુ ઉંચકે તો સરકારની પોલ ખુલી જાય.
આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ આંદોલન કરવાના છે એવો IBનો રિપોર્ટ આવે કે તરત સરકાર પોતાના જ સ્થાનિક ધારાસભ્યોને એલટ કરી દે છ અને સ્થાનિક ધારાસભ્યને પત્ર લખવાનું કહેવામાં આવે છે.