fbpx

ધનતેરસ 2025: ધન અને સમૃદ્ધિનો તહેવાર — જાણો સોનું ખરીદવાનો શુભ મુહૂર્ત

Spread the love

 ધનતેરસ 2025: ધન અને સમૃદ્ધિનો તહેવાર — જાણો સોનું ખરીદવાનો શુભ મુહૂર્ત

આવતા 18 ઓક્ટોબર, શનિવારના રોજ ધનતેરસનો પાવન તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસને ધન ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્યતા મુજબ, ધનતેરસની સાંજે માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવાથી ધન, સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. તેમની કૃપાથી જીવનમાં સુખ અને વૈભવની વૃદ્ધિ થાય છે.

પરંપરા અનુસાર, ધનતેરસના દિવસે સોનું, ચાંદી અથવા તેનાથી બનેલા દાગીના ખરીદવા શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ધાતુ ખરીદવાથી ઘરમાં ધનનો પ્રવેશ થાય છે. જો તમે પણ આ વર્ષે ધનતેરસ પર ખરીદી કરવાની યોજના બનાવી રહ્યા હો, તો નીચે જણાવેલા શુભ મુહૂર્તમાં ખરીદી કરવી શ્રેષ્ઠ રહેશે.

Dhanteras-2

ધનતેરસના મુખ્ય સમય

ત્રયોદશી તિથિનો પ્રારંભ: 18 ઓક્ટોબર, શનિવાર – બપોરે 12:18 વાગ્યે

તિથિનો સમાપન: 19 ઓક્ટોબર, રવિવાર – બપોરે 1:51 વાગ્યે

પૂજા મુહૂર્ત: સાંજે 7:16 થી રાત્રે 8:20 સુધી

પ્રદોષ કાળ: સાંજે 5:48 થી રાત્રે 8:20 સુધી

સોનું ખરીદવાનું મુખ્ય મુહૂર્ત

આ વર્ષે ધનતેરસ પર સોનું ખરીદવાનું શુભ મુહૂર્ત કુલ 18 કલાક અને 6 મિનિટનું રહેશે.

શરૂઆત: 18 ઓક્ટોબર, બપોરે 12:18 વાગ્યે

સમાપન: 19 ઓક્ટોબર, સવારે 6:24 વાગ્યે

ધનતેરસના દિવસે સોનું ખરીદવાના શુભ ચોઘડિયા મુહૂર્ત

ચલ (સામાન્ય) મુહૂર્ત: 12:06 PM – 1:32 PM

લાભ (ઉન્નતિ) મુહૂર્ત: 1:32 PM – 2:57 PM

અમૃત (સર્વોત્તમ) મુહૂર્ત: 2:57 PM – 4:23 PM

લાભ (ઉન્નતિ) મુહૂર્ત: 5:48 PM – 7:23 PM

શુભ (ઉત્તમ) મુહૂર્ત: 8:57 PM – 10:32 PM

અમૃત (સર્વોત્તમ) મુહૂર્ત: 10:32 PM – 12:06 AM

ચલ (સામાન્ય) મુહૂર્ત: 12:06 AM – 1:41 AM

લાભ (ઉન્નતિ) મુહૂર્ત (19 ઑક્ટો): 4:50 AM – 6:24 AM

Dhanteras1

ધનતેરસના બીજા દિવસે પણ સોનું ખરીદવાની તક

19 ઓક્ટોબર, રવિવારે પણ ધન ત્રયોદશી તિથિ યથાવત રહેશે. તેથી આ દિવસે પણ સવારે 6:24 થી બપોરે 1:51 સુધી સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે.

આ દિવસના ચોઘડિયા મુહૂર્ત:

ચલ (સામાન્ય): 7:50 AM – 9:15 AM

લાભ (ઉન્નતિ): 9:15 AM – 10:40 AM

અમૃત (સર્વોત્તમ): 10:40 AM – 12:06 PM

error: Content is protected !!