fbpx

અયોધ્યામાં કારમાંથી સાડા ત્રણ ક્વિન્ટલ ચાંદી અને સોનાના દાગીનાનો ખજાનો મળી આવ્યો!

Spread the love

અયોધ્યામાં કારમાંથી સાડા ત્રણ ક્વિન્ટલ ચાંદી અને સોનાના દાગીનાનો ખજાનો મળી આવ્યો!

GST વિભાગે પોલીસની મદદથી ગુરુવારે મોડી સાંજે અયોધ્યા-લખનૌ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોટો દરોડો પાડ્યો. કારમાંથી કરોડોનો ખજાનો મળી આવ્યો. અયોધ્યાના રોનાહી ટોલ પ્લાઝા પર દરોડા દરમિયાન, એક સ્પોર્ટ્સ કારમાંથી આશરે 3.5 ક્વિન્ટલ ચાંદી, ચાંદીના દાગીના અને કેટલાક સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા. જપ્ત કરાયેલા માલ અંગે સ્થળ પર કોઈ માન્ય દસ્તાવેજો રજૂ કરી શકાયા નથી.

Ayodhya GST Raid

માહિતી અનુસાર, GST વિભાગને બપોરે માહિતી મળી હતી કે, અયોધ્યા-લખનૌ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી માન્ય દસ્તાવેજો વિના મોટી માત્રામાં ચાંદીને લઇ જવામાં આવી રહી છે. માહિતીના આધારે, GST અધિકારીઓએ પોલીસની મદદથી રોનાહી ટોલ પ્લાઝા પર વાહન તપાસ શરૂ કરી. એક સ્પોર્ટ્સ કારને રોકીને તલાશી લેવામાં આવી, જેમાં મોટી માત્રામાં ચાંદી, ચાંદીના દાગીના અને કેટલાક સોનાના દાગીના મળી આવ્યા.

એડિશનલ કમિશનર (ગ્રેડ-1) બ્રિજેશ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, વાહનમાં સવાર લોકો જપ્ત કરેલા સોના અને ચાંદી અંગે કોઈ માન્ય બિલ કે અન્ય દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા. હાલમાં, સમગ્ર માલ જપ્ત કરવામાં આવ્યો છે, અને સંબંધિત વ્યક્તિને નોટિસ મોકલી આપવામાં આવી છે, જેમાં તેમને દસ્તાવેજો સબમિટ કરવાનું કહેવામાં આવ્યું છે.

Ayodhya GST Raid

તેમણે જણાવ્યું હતું કે, જો નિર્ધારિત સમયમાં માન્ય દસ્તાવેજો સબમિટ કરવામાં નહીં આવે, તો નિયમો અનુસાર દંડ લાદવા સહિત વધુ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જપ્ત કરેલા સોના અને ચાંદીને સુરક્ષિત રાખવા માટે તિજોરીમાં જમા કરાવવાની તૈયારી ચાલી રહી છે.

Ayodhya GST Raid

આ અગાઉ, મુઝફ્ફરનગરમાં, ઉત્તર પ્રદેશ રાજ્ય કર વિભાગની ખતૌલી મોબાઇલ ટીમે એક મોટી આંતરરાજ્ય GST ચોરી પકડી પાડી હતી. ટીમે મેરઠના મટૌરમાં એક નકલી કંપની દ્વારા માન્ય E-વે બિલ વિના હરિયાણામાં સપ્લાય કરવામાં આવી રહેલા માલને લઇ જતું વાહન જપ્ત કર્યું હતું. ટીમે રૂ. 20 લાખના માલથી ભરેલું વાહન જપ્ત કર્યું હતું અને તપાસ શરૂ કરી હતી. હરિયાણાના DGGI અને મેરઠના SIB જોઈન્ટ કમિશનરને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી અને તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. મુઝફ્ફરનગરના શાહપુરમાં, ખતૌલી મોબાઇલ GST યુનિટના આસિસ્ટન્ટ કમિશનર નીતિન કુમાર વાજપેયીએ રૂ. 20 લાખની કિંમતના 10,070 કિલો સીસાના ઇંગોટ્સ ભરેલા વાહનને જપ્ત કર્યું. વાહન મુઝફ્ફરનગરના બેગરાજપુરથી હરિયાણા જવા રવાના થયું હતું, પરંતુ વાહનના પરિવહન માટેના દસ્તાવેજો પર મેરઠના મટૌરની નકલી કંપની બતાવીને E-વે બિલ જનરેટ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

error: Content is protected !!