fbpx

‘આર્થિક આધારે મળે અનામત…’ જંતર-મંતર પર ભેગા થયા લોકો; નવા UGC નિયમોનો પણ વિરોધ

Spread the love

‘આર્થિક આધારે મળે અનામત...’ જંતર-મંતર પર ભેગા થયા લોકો; નવા UGC નિયમોનો પણ વિરોધ

શુક્રવારે દિલ્હીના જંતર-મંતર પર જાતિ આધારિત અનામતનો વિરોધ કરવા માટે સેંકડો લોકો એકઠા થયા હતા. પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે હકારાત્મક ભેદભાવની નીતિઓ જાતિના બદલે આર્થિક માપદંડોના આધારે હોવી જોઇએ. ‘આરક્ષણ હટાવો આંદોલન’  નામના ઇન્સ્ટાગ્રામ પેજની અપીલ બાદ આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે લોકોને જંતર-મંતર પર જમીન પર વિરોધમાં જોડાવા માટે વિનંતી કરી હતી. શુક્રવારે સાંજે, દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે પ્રદર્શકારીઓએ હટવાનો ઇનકાર કર્યો, ત્યારે પોલીસે તેમની અટકાયત કરી.

RHA-Protest1

પ્રદર્શકારીઓની માંગણીઓ શું છે?

અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા સાથે સંકળાયેલા એક પ્રદર્શનકારીએ કહ્યું કે, અમારી માંગણી એ છે કે કોને સરકારી સહાયની જરૂર છે તે નક્કી કરતી વખતે આર્થિક સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવે. જાતિને ધ્યાનમાં લીધા વિના ગરીબ વ્યક્તિને શિક્ષણ, કોચિંગ અને અન્ય જરૂરિયાતો માટે સહાય મળવી જોઈએ. અન્ય એક પ્રદર્શનકારીએ જણાવ્યું કે તેઓ હાલની અનામત વ્યવસ્થાની સમીક્ષા ઇચ્છે છે. તેની દલીલ કરી હતી કે અનામતના લાભ હંમેશાં સમાજના સૌથી વંચિત વર્ગો સુધી પહોંચતા નથી. તેણે કહ્યું કે, અમે વર્ષોથી આ મુદ્દો ઉઠાવી રહ્યા છીએ. અમારું માનવું છે કે સરકારે સમીક્ષા કરવી જોઈએ કે શું વર્તમાન વ્યવસ્થા તેના હેતુને પૂર્ણ કરી રહી છે કે નહી અને શું તેના લાભો પાયાના સ્તરે લોકો સુધી પહોંચી રહ્યા છે?

એક અન્ય પ્રદર્શનકારીએ કહ્યું કે, અમે એવું નથી કહેતા કે આર્થિક રીતે નબળા વર્ગોને સહાય વિના છોડી દેવા જોઈએ. અમે માનીએ છીએ કે સહાય એવા લોકો સુધી પહોંચવી જોઈએ જેમને ખરેખર તેની જરૂર છે. આમાં શિષ્યવૃત્તિ, ફીમાં સહાયતા અને કોચિંગ જેવી સુવિધાઓનો સમાવેશ થઈ શકે છે.

એક પ્રદર્શનકારીએ દાયકાઓ પહેલા લાગૂ કરાયેલી અનામત જોગવાઈઓ ચાલુ રાખવા પર પ્રશ્ન ઉઠાવ્યો. તેણે કહ્યું કે સરકારે વર્તમાન સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓના સંદર્ભમાં અનામત નીતિની સમીક્ષા કરવી જોઈએ. કેટલાક પ્રદર્શનકારીઓએ અનામત વ્યવસ્થામાં ‘ક્રીમી લેયર’ જોગવાઈ લાગૂ કરવાની પણ માંગ કરી. તેમણે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગો (OBC) સંબંધિત નીતિઓમાં ફેરફારની પણ માંગ કરી.

પ્રદર્શનકારીઓએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ અને ઉચ્ચ શિક્ષણ સંબંધિત નીતિઓ, જેમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ની રચનાનો સમાવેશ થાય છે, તેની સાથે સંબંધિત મુદ્દાઓ ઉઠાવ્યા.

theft1

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે સવારે જંતર-મંતર પર એકઠા થયેલા કેટલાક લોકોને દૂર કરવામાં આવ્યા હતા, કારણ કે વિરોધ પ્રદર્શનની પરવાનગી આપવામાં આવી નહોતી. પોલીસ કર્મચારીઓ આ વિસ્તારની નજીક આવતા લોકોની પણ તપાસ કરી રહ્યા હતા. કેટલાક પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો હતો કે વિરોધ સ્થળની આસપાસ ઇન્ટરનેટ જેમર લગાવવામાં આવ્યા છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો મુશ્કેલ બની ગયો છે; જોકે, આ દાવાની સ્વતંત્ર રીતે ચકાસણી થઈ શકી નથી.

Leave a Reply

error: Content is protected !!