fbpx

હિંમતનગર ના અડપોડરા ખાતે શાંતાબેન અને જયંતિલાલ ચોકસી ના સૌજન્ય થી સર્જન ફાઉન્ડેશન સંસ્થા દ્રારા વિના મૂલ્યે નેત્ર નિદાન- સારવાર કેમ્પ યોજાયો

Spread the love

હિંમતનગર ના અડપોડરા ખાતે શાંતાબેન અને જયંતિલાલ ચોકસી ના સૌજન્ય થી સર્જન ફાઉન્ડેશન સંસ્થા દ્રારા વિના મૂલ્યે નેત્ર નિદાન- સારવાર કેમ્પ યોજાયો

  • વર્ષ નો ૧૭ મો નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો
  • પાલ ગામ સહિત આજુબાજુ માંથી ૬૮૫ દર્દીઓએ લાભ લીધો
  • ૩૮૭ વ્યક્તિઓએ રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાંઆવ્યું
  • ૮૫ દર્દીઓનું મફત ઓપરેશન કરી આપવામાં આવશે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અડપોડરા ખાતે શાંતાબેન અને જયંતિલાલ ચોકસી ના સૌજન્ય થી સર્જન ફાઉન્ડેશન દ્રારા વર્ષ નો ૧૭ મો વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો જેમાં અડપોદરા ગામ સહિત આજુબાજુમાં રહેતાં દર્દીઓએ લાભ લીધો હતો

હિંમતનગર ના અડપોડરા ખાતે આવેલ શ્રી એન.ડી. શાહ હાઇસ્કુલ ખાતે શાંતાબેન અને જયંતિલાલ ચોકસીના સૌજન્ય થી સર્જન ફાઉન્ડેશન સંસ્થા આયોજિત વર્ષ નો ૧૭ મો વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં અડપોડરા ગામ સહિત આજુ બાજુમાં રહેતાં ગોમામાથી કુલ- ૬૮૫ દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો અને ૩૮૭ વ્યક્તિ ઓને રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું જયારે ૮૫ દર્દીઓને ઇડર ખાતે આવેલ આત્મવલ્લભ હોસ્પિટલ ખાતે મોતીયા તથા વેલ નુ વિનામુલ્યે ઓપરેશન સહિત દર્દીઓને રહેવા જમવા તથા લાવવા લઇ જવા સુધી ની સગવડ પણ પુરી પાડવામાં આવશે તો સમગ્ર કેમ્પ નું સફળ આયોજન સંસ્થાનાં પ્રોજેકટ ઓફિસર અશોકભાઇ પરમાર કરવામાં આવ્યું હતું તો કેમ્પ ને સફળબનાવવા માટે શાળા ના આચાર્ય તથા સ્ટાફ તથા આંખના મદદનીશો તેમજ સંસ્થા ના સ્ટાફ દ્રારા સહિયોગ પુરો પાડવામા આવ્યો હતો

જીલ રાવલ ZSTV પ્રાંતિજ.

error: Content is protected !!
%d bloggers like this: