fbpx

નાના રોકાણકારોની 76,000 કરોડની રકમ SEBI રિકવર કરી શકતી નથી

Spread the love

રોકાણકારોની સુરક્ષા અને શેરબજારનું નિયમન કરતી સિક્યોરિટી એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) રોકાણકારોના ફસાયેલા 76293 કરોડ રૂપિયાની રકમ રિકવર કરી શકતી નથી. સેબી માટે આ એક મોટો પડકાર છે.

આ એવા રોકાણકારોની રકમ છે જેમણે PACL અને સહારા ઇન્ડિયા જેવી કંપનીઓમાં રોકાણ કર્યું હતું. કંપનીઓ બંધ થઇ ગઇ અને રોકાણકારોના રૂપિયા સલવાઇ ગયા. સેબીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આ રકમ પરત મેળવવી લગભગ અસંભવ છે.

માત્ર PACL અને સહારા ઇન્ડિયામાં જ નાના નાના રોકાણકારોની 63206 કરોડ રૂપિયાની રકમ ફસાઇ ગઇ છે. રોકાણકારોના પેસા કંપની એને કોર્ટના ચક્કરમાં ફસાયેલા છે, જે મેળવવા આસાન નથી. 140 કેસો એવા છે જેમાં કંપનીના માલિકાનો કોઇ અતાપતો જ નથી.

error: Content is protected !!