fbpx

ધોનીનો મિત્ર રોજીરોટી કમાવવા બસ ડ્રાઈવર બન્યો,2011 વર્લ્ડ કપ ફાઈનલ રમી ચૂક્યો છે

Spread the love

2011 વર્લ્ડ કપ ફાઇનલમાં મહેન્દ્ર સિંહ ધોની સામે અને CSK માટે IPL રમનાર ક્રિકેટર ઓસ્ટ્રેલિયામાં રહે છે અને બસ ચલાવે છે. શ્રીલંકાના આ ક્રિકેટરનું નામ છે સૂરજ રણદીવ. સૂરજ રણદીવ 2011માં ભારતમાં રમાયેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં શ્રીલંકાની ટીમનો ભાગ હતો. સૂરજ રણદિવ ધોનીની કપ્તાનીમાં CSK તરફથી પણ રમી ચૂક્યો છે. વર્ષ 2012માં CSK તરફથી રમતા સૂરજ રણદિવે 8 મેચમાં 6 વિકેટ લીધી હતી.

શ્રીલંકા તરફથી ક્રિકેટ રમનાર સૂરજ રણદીવ હવે ક્રિકેટરમાંથી બસ ડ્રાઈવર બની ગયો છે. શ્રીલંકાના ભૂતપૂર્વ સ્પિનર સૂરજ રણદીવ 2019માં ઑસ્ટ્રેલિયા ગયા, જ્યાં બસ ચલાવવા ઉપરાંત, તે સ્થાનિક ક્લબ માટે ક્રિકેટ પણ રમે છે. સૂરજ રણદીવે શ્રીલંકા માટે 12 ટેસ્ટમાં 46 વિકેટ લીધી હતી. રણદીવે 31 વનડેમાં 36 અને 7 T-20 મેચમાં 7 વિકેટ ઝડપી છે.

ભારતીય ક્રિકેટના ચાહકો સૂરજ રણદીવને તે નો બોલના કારણે ઓળખે છે, જેણે 99 રન પર બેટિંગ કરી રહેલા સેહવાગને સદીથી વંચિત રાખ્યો હતો. સૂરજ રણદીવ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તે જાણીજોઈને નો બોલ બોલિંગ કરતો પકડાયો. હકીકતમાં, વીરેન્દ્ર સેહવાગને સદી પૂરી કરતા રોકવા માટે દિલશાનના કહેવા પર સૂરજ રણદીવે નો બોલ ફેંક્યો હતો.

ભારતને જીતવા માટે એક રનની જરૂર હતી અને સેહવાગ 99 રન પર બેટિંગ કરી રહ્યો હતો. જો સેહવાગે તે એક રન બનાવ્યો હોત તો તેની સદી પૂરી થઈ ગઈ હોત. આવી સ્થિતિમાં દિલશાને કાવતરું ઘડ્યું અને રણદીવને જાણી જોઈને નો બોલ ફેંકવાની સલાહ આપી અને તેણે પણ એવું જ કર્યું. જો કે સેહવાગે નો બોલ પર પણ સિક્સર ફટકારી હતી, પરંતુ તે નો બોલ હોવાને કારણે અમ્પાયરોએ ભારતને વિજયી જાહેર કર્યું હતું અને તેનો સિક્સ રનમાં ઉમેરાયો નહોતો. સેહવાગ 99 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા ક્રિકેટ બોર્ડે સૂરજ રણદીવને એક મેચ માટે સસ્પેન્ડ કરી દીધો હતો, જ્યારે તિલકરત્ને દિલશાનને દંડ ફટકાર્યો હતો. સૂરજ રણદીવે શ્રીલંકા માટે 12 ટેસ્ટ રમી છે અને તેના નામે 43 વિકેટ છે. જો આપણે ODI ફોર્મેટમાં તેના પ્રદર્શન પર નજર કરીએ તો તેણે 31 મેચ રમી અને 36 વિકેટ લીધી.

વીરેન્દ્ર સેહવાગ સાથેની છેતરપિંડીથી સૂરજ રણદીવ આખી દુનિયામાં કુખ્યાત થઈ ગયો. જો કે ત્યાર પછી અચાનક તેને 2011ના વર્લ્ડ કપની ફાઈનલ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, છતાં તે ક્રિકેટર તરીકે સફળ થયો ન હતો અને આજે તેને ઓસ્ટ્રેલિયામાં બસ ડ્રાઈવર તરીકે કામ કરવાની ફરજ પડી છે.

અહીં તમને જણાવી દઈએ કે, 2011ના વર્લ્ડ કપમાં શ્રીલંકન ક્રિકેટ ટીમના સભ્ય સૂરજ રણદીવ હવે ઓસ્ટ્રેલિયામાં રહે છે અને પોતાનું ગુજરાન ચલાવવા માટે બસ ચલાવે છે. સૂરજ ઉપરાંત શ્રીલંકા અને ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટરો ચિંતકા નમસ્તે અને વાડિંગ્ટન વેયેન્ગા ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે અને મેલબોર્નમાં ફ્રેન્ચ સ્થિત કંપની ટ્રાન્સદેવમાં બસ ડ્રાઇવર તરીકે કામ કરી રહ્યા છે.

error: Content is protected !!