fbpx

ભાજપ સરકારના મંત્રીએ અઝાન વચ્ચે ભાષણ અટકાવ્યું અને ડાહી વાત કરી

Spread the love

મધ્ય પ્રદેશના કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્ય મંત્રી ગૌતમ ટેટવાલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે મધ્ય પ્રદેશના મઉમાં એક કાર્યક્રમ દરમિયાન જ્યારે મસ્જિદમાંથી અઝાન શરૂ થઇ ત્યારે ભાજપના આ મંત્રીઓ તેમનું ભાષણ અટકાવી દીધું હતું અને મૌન થઇ ગયા હતા. અઝાન પુરી થયા પછી તેમણે ઉપનિષદનો એક શ્લોક સંભળાવ્યો હતો અને કલમા પણ કહી હતી.

તેમણે સર્વ ભવન્તુ સુખિનનો શ્લોક વાંચીને કહ્યું કે, ભગવાને કહ્યું છે કે બધા સુખી રહે. વસુધૈવ કુંટુબકમના સંસ્કૃતના સુવાક્ય વિશે તેમણે કહ્યું હતું કે આખી દુનિયા એક જ પરિવાર છે.

error: Content is protected !!