fbpx

મુંબઇથી ગોવા જતી વંદે ભારત બીજી દિશામાં ચાલી ગઈ

Spread the love

દેશની સૌથી આધુનિક અને ઝડપી ટ્રેનોમાની એક વંદે ભારત એક્સપ્રેસ સાથે  અજીબોગરીબ ઘટના બની છે. મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલથી ગોવાના મડગાંવ જવા માટે વંદે ભારત ઉપડી હતી પરંતુ આ ટ્રેન રસ્તો ભટકી ગઇ.

હકિકતમાં, વંદેભારત ટ્રેને દિવા સ્ટેશનથી પનવેલ તરફ વળવાનું હતું, પરંતુ  કલ્યાણ તરફ ચાલી ગઇ હતી. જ્યારે રેલવેના અધિકારીઓને આ વાતની જાણ થઇ તો બધા દોડતા થઇ ગયા અને તાત્કાલિક ટ્રેનને કલ્યાણ સ્ટેશન પર રોકી દેવામાં આવી. ફરી ટ્રેનને દિવા સ્ટેશન પર લાવવામાં આવી અને મડગાંવ તરફ રવાના કરવામાં આ બધામાં દોઢ કલાકનો સમય નિકળી ગયો.

દિવા સ્ટેશન પર 103 નંબરના પોઇન્ટ સિગ્નલ પર સમસ્યા ઉભી થવાને કારણે આવું બન્યું હતું.

error: Content is protected !!