fbpx

વીડિયોઃ ભાજપના પ્રદેશ પ્રમુખે પોતાની જાત પર કોરડા વીંઝ્યા, જાણો કેમ?

Spread the love

તમિલનાડુમાં BJPના અધ્યક્ષ K. અન્નામલાઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તે પોતાના ખુલ્લા શરીર પર ચાબુકના કોડા મારતો જોવા મળી રહ્યો છે. વીડિયો વાયરલ થયા પછી લોકોએ સવાલ પૂછ્યા છે કે, આખરે અન્નામલાઈ શા માટે પોતાને ચાબુકથી ફટકારી રહ્યા છે? આવો, તમને આ પ્રશ્નનો જવાબ આપીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ચેન્નાઈ સ્થિત અન્ના યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીની સાથે બળાત્કારની ઘટના બની હતી. અન્નામલાઈએ રાજ્યની DMK સરકાર અને પોલીસ પર પીડિતાની અંગત માહિતી લીક કરવાનો અને તેની ગરિમા સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો છે.

અન્નામલાઈએ કહ્યું કે, આ અત્યંત શરમજનક છે અને DMK સરકાર અન્ના યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી છે, તેથી તે વિરોધ વ્યક્ત કરવા પોતાને કોડાથી ફટકારી રહ્યો છે.

આ અગાઉ, BJPના પ્રદેશ અધ્યક્ષે જાહેરાત કરી હતી કે, જ્યાં સુધી તમિલનાડુમાં DMK સરકાર સત્તામાંથી બહાર નહીં થાય ત્યાં સુધી તેઓ ચપ્પલ નહીં પહેરે. તેમણે અન્ના યુનિવર્સિટીમાં CCTV કેમેરા ઓછા હોવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે બનાવવામાં આવેલા નિર્ભયા ફંડના ઉપયોગને લઈને ટીકા કરી હતી.

BJP પ્રમુખે કહ્યું હતું કે, બળાત્કાર કેસમાં રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી FIRથી પીડિતાની ઓળખ છતી થઈ છે અને આ માટે DMKની સરકાર જવાબદાર છે. અન્નામલાઈએ આ સંવેદનશીલ કેસ ખોટી રીતે ચલાવવા બદલ પોલીસની ટીકા કરી હતી.

અન્નામલાઈએ ચેન્નાઈ પોલીસ કમિશનરને હટાવવાની માંગ કરી છે. BJP અધ્યક્ષે કહ્યું છે કે, તેઓ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિને લઈને સરકાર સામે અવાજ ઉઠાવતા રહેશે. તેમણે કહ્યું કે, મહિલાઓની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ થવી જોઈએ નહીં.

અન્નામલાઈએ એ પણ જાહેરાત કરી હતી કે, તેઓ 48 દિવસના ઉપવાસ કરશે, તે દરમિયાન તેઓ ફેબ્રુઆરી 2025 સુધી રાજ્યમાં ભગવાન મુરુગનના તમામ છ મંદિરોમાં પૂજા પ્રાર્થના કરશે.

23 ડિસેમ્બરે રાત્રે 8 વાગ્યે અન્ના યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગની વિદ્યાર્થીની પર બળાત્કાર થયો હતો. રાજભવન અને IIT મદ્રાસ યુનિવર્સિટી કેમ્પસની નજીક સ્થિત છે અને તે ઉચ્ચ સુરક્ષા ઝોન છે. મામલો વધુ ઉગ્ર બન્યા પછી પોલીસે કેમ્પસમાં લાગેલા CCTV ફૂટેજની તપાસ કરી અને આરોપીની ધરપકડ કરી લીધી હતી. તે બિરયાની વેચે છે.

અન્નામલાઈએ કહ્યું કે, ગુનેગાર DMK સાથે સંકળાયેલો હતો, જોકે પાર્ટીએ આ વાતને નકારી કાઢી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, DMK નેતાઓ સાથે આરોપીઓની તસવીરો બતાવતી વખતે, તેણે કહ્યું હતું કે સત્તામાં રહેલા લોકો સાથેના જોડાણ હોવાને કારણે આરોપીનું મનોબળ વધ્યું છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, તમિલનાડુના કાયદા મંત્રી S. રઘુપતિએ કહ્યું કે, આરોપી DMKનો સભ્ય નથી.

error: Content is protected !!