fbpx

ગૌતમ અદાણીની પાછળ પડી જનાર હિંડનબર્ગ કંપની બંધ કેમ કરી રહ્યો છે?

Spread the love

ગૌતમ અદાણીની ઉંઘ હરામ કરીનાર નાથન એન્ડસરન તેની કંપની હિંડનબર્ગ રિસર્ચને બંધ કરી દેવાની જાહેરાત કરી છે જેને કારણે અદાણીને મોટી રાહત મળશે. 24 જાન્યુઆરી 2023ના દિવસે હિંડનબર્ગે અદાણીની વિરુદ્ધમાં એક રિપોર્ટ બહાર પાડ્યો હતો જેને કારણે અદાણીની સંપત્તિમાં 140 અબજ ડોલરનું ધોવાણ થયું હતું.

એન્ડરસને 15 જાન્યુઆરીએ પોતાની વેબસાઇટ પર જાહેરાત કરી તે હિંડનબર્ગ રિસર્ચ કંપનીને બંધ કરવા માટે જઇ રહ્યો છે. વેબસાઇટ પર તેણે લાંબો લચક પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યું છે કે, આ માત્ર વ્યકિતગત નિર્ણય છે. કોઇ ખાસ વાત નથી, કોઇ ખાસ જોખમ નથી, કોઇ ખાસ હેલ્થ ઇશ્યુ પણ નથી અને કોઇ મોટો વ્યકિતગત મુદ્દો પણ નથી. બસ, હવે થોડા આરામ કરવો છે.

error: Content is protected !!