fbpx

દિલ્હીમાં AAPના 8 ધારાસભ્યો ભાજપમાં ગયા તો કેજરીવાલે ગુજરાતમા બદલો લીધો

Spread the love

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાઇ ગયા જેને કારણે કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો હતો, પરંતુ કેજરીવાલે એ વાતનો બદલો ગુજરાતમાં લઇ લીધો છે.

ગુજરાતમાં 66 નગર પાલિકાઓની 16 ફેબ્રુઆરીએ ચૂંટણી છે એ પહેલા મધ્ય ગુજરાતના વડોદરામા આવતી કરજણ નગર પાલિકાના 10 કોર્પોરેટરો તેમના સમર્થકો સાથે ભાજપ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટી જોઇન કરી લીધી છે. અને આ બધા મોટા પદ પર હતા.

આમ આદમી પાર્ટીના ગુજરાતના પૂર્વ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ભાજપમાંથી આવેલા કોર્પોરેટરોને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવીને સભ્ય તરીકે સામેલ કર્યા હતા. ભાજપ માટે આ એક ઝટકો હતો.

error: Content is protected !!