પૂર્વ ખેલાડીના મતે આ કારણે RCB નથી બની હજુ સુધી IPL ચેમ્પિયન?

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
પૂર્વ ખેલાડીના મતે આ કારણે RCB નથી બની હજુ સુધી IPL ચેમ્પિયન?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), સ્ટાર ખેલાડીઓની ભરમાર હોવા છતા આ ટીમ એક પણ વખત IPL ટ્રોફી જીતી શકી નથી. સતત નિષ્ફળતાને કારણે ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટ પર સવાલો ઉઠતા રહ્યા છે. હવે ટીમના પૂર્વ ક્રિકેટર શાદાબ જકાતીએ આ નિષ્ફળતા પાછળ મોટા કારણનો ખુલાસો કર્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને RCB માટે રમી ચૂકેલા જકાતીએ RCBની નિષ્ફળતાનો ઠીકરો ટીમ મેનેજમેન્ટ પર ફોડ્યો છે. સાથે જ તેણે CSKની સફળતાનું રહસ્ય પણ જણાવ્યું.

Jakati

એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાત કરતા જકાતીએ કહ્યું કે, જ્યારે હું RCBમાં હતો, ત્યારે ટીમનું ધ્યાન માત્ર 2-3 ખેલાડીઓ પર રહેતું હતું. ક્રિકેટ એક ટીમ ગેમ છે. જો તમારે ટ્રોફી જીતવી હોય તો આખી ટીમે એકજૂથ થઈને રમવું પડશે. માત્ર 2-3 ખેલાડી મળીને તમને ટ્રોફી નહીં જીતાડી શકે. RCB પાસે શાનદાર ખેલાડી તો હતા, પરંતુ તેમની વચ્ચે તાલમેલનો અભાવ સ્પષ્ટ દેખાતો હતો. બીજી તરફ, ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે મજબૂત ભારતીય કોર અને શાનદાર વિદેશી ખેલાડી હતા. CSK અને RCBના ટીમ મેનેજમેન્ટ અને ડ્રેસિંગ રૂમના માહોલમાં જમીન આકાશનો ફરજ છે. ટીમ મેનેજમેન્ટની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોય છે. CSKનું મેનેજમેન્ટ ખરેખર લાજવાબ હતું. તેઓ પોતાના ખેલાડીઓની સારી રીતે ખ્યાલ રાખતા હતા. આ નાની નાની વસ્તુઓ મોટા બદલાવ લાવે છે. મારા માટે, CSK અને RCB વચ્ચે આ સૌથી મોટું અંતર હતું.

Jakati-1

શાદાબ જકાતીનું કરિયર

જો આપણે શાદાબ જકાતી બાબતે વાત કરીએ તો તે લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ સ્પિનર રહી ચૂક્યો છે. જકાતીએ પોતાના IPL કરિયરમાં કુલ 59 મેચ રમી છે. જેમાં 30.85ની એવરેજથી કુલ 47 વિકેટ લીધી હતી. તેનું બેસ્ટ 22 રન આપીને 4 વિકેટ રહ્યું. તો RCBની વાત કરીએ તો ટીમે 3 વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે, પરંતુ અત્યાર સુધી ટાઈટલ જીતી શકી નથી. આ વખતે ટીમ મેનેજમેન્ટે મોટો બદલાવ કર્યો છે. ટીમની કેપ્ટન્સી રજત પાટીદારને સોંપવામાં આવી છે. આવામાં, ફેન્સને ભરોસો છે કે રજતના નેતૃત્વમાં આ વખત ટ્રોફી જીતીને પોતાના ટ્રોફીના સુકાને ખતમ કરી શકે છે.

error: Content is protected !!