fbpx

નીતિશ કુમારને ડેપ્યુટી PM બનાવવાની BJPમાં કેમ ઉઠી માંગ, JDUએ અમિત શાહના નિવેદનને યાદ અપાવ્યું

Spread the love
નીતિશ કુમારને ડેપ્યુટી PM બનાવવાની BJPમાં કેમ ઉઠી માંગ, JDUએ અમિત શાહના નિવેદનને યાદ અપાવ્યું

ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ એક મોટી માંગ કરી છે. તેમણે ગુરુવારે પોતાનો અંગત અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, બિહારના CM નીતિશ કુમારને DyPM બનાવવા જોઈએ. કેન્દ્રમાં આવતા પહેલા CM નીતિશ કુમારના મંત્રીમંડળનો ભાગ રહેલા અશ્વિની ચૌબેએ કહ્યું કે, તેઓ જનતા દળ (યુનાઇટેડ)ના વડા CM નીતિશ કુમારને સ્વર્ગસ્થ જગજીવન રામ પછી બિહારના બીજા DyPM તરીકે જોવા માંગે છે.

CM Nitish Kumar

અશ્વિની કુમાર ચૌબેએ કહ્યું, ‘CM નીતીશ કુમારે NDAમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેઓ ગઠબંધનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવીને PM નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરી રહ્યા છે. મારી વ્યક્તિગત ઇચ્છા છે કે, તેમને DyPM બનાવવામાં આવે. જો આ ઇચ્છા પૂર્ણ થશે, તો બિહારમાં બાબુ જગજીવન રામ પછી તેની ધરતીનો બીજો પુત્ર આ પદ પર બિરાજતો જોવા મળશે.’

CM Nitish Kumar

આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મીડિયાના કેટલાક ભાગોમાં એવી અટકળો ચાલી રહી છે કે 74 વર્ષીય CM નીતિશ કુમારને BJP દ્વારા ‘સન્માનપૂર્વક વિદાય’ આપવામાં આવી શકે છે. સ્વર્ગસ્થ સુશીલ કુમાર મોદી જેવા BJPના નેતાઓએ તો એવો પણ દાવો કર્યો હતો કે, CM નીતિશ કુમાર ઉપરાષ્ટ્રપતિ બનવા માંગતા હતા અને આ પદ માટે તેમનું નામ ન વિચારવામાં આવ્યું તેના વિરોધમાં તેમણે 2022માં NDA છોડી દીધું હતું.

જોકે, અશ્વિની ચૌબેની ટિપ્પણીને JDU તેમજ વિપક્ષી પક્ષ RJD દ્વારા બહુ મહત્વ આપવામાં આવ્યું ન હતું. JDU પ્રવક્તા નીરજ કુમારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુનો ઉલ્લેખ કરીને કહ્યું કે, NDAના તમામ સાથી પક્ષો આગામી વિધાનસભા ચૂંટણી માટે CM નીતિશ કુમારને ગઠબંધનના નેતા તરીકે સ્વીકારે છે.

Ashwini Kumar Choubey

આ દરમિયાન, RJD પ્રવક્તા એજાઝ અહેમદે અશ્વિની ચૌબે પર નિશાન સાધ્યું અને તેમને BJPના સ્વ-ઘોષિત પ્રવક્તા ગણાવ્યા, જેમને તેમની જ પાર્ટી દ્વારા બાજુ પર રાખવામાં આવ્યા છે અને તેઓ તેમને કે તેમના પુત્રને સ્થાન આપવા તૈયાર નથી. એજાઝ અહેમદે કહ્યું, ‘અલબત્ત BJP CM નીતિશ કુમારથી છુટકારો મેળવવા માંગે છે. પરંતુ ચૌબેએ સમજવું જોઈએ કે, અમારા નેતા તેજસ્વી યાદવ CMની ખુરશી પર બિરાજશે. BJPના નેતાઓ ફક્ત બિહારમાં સત્તાની સૌથી મોટી બેઠક વિશે દિવાસ્વપ્ન જોઈ શકે છે.’

error: Content is protected !!