

ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું માનવું છે કે, IPL 2025માં બૉલ પર લાળના ઉપયોગ પરનો પ્રતિબંધ હટાવવાના BCCIના પગલાએ T20 લીગમાં બેટ અને બૉલ વચ્ચે સંતુલન પુનઃસ્થાપિત કર્યું છે જે લાંબા સમયથી બોલરો માટે કબ્રસ્તાન બની ગયો છે. IPL વર્તમાન સીઝન શરૂઆત અગાઉ, BCCIએ બૉલને ચમકાવવા માટે લાળના ઉપયોગ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો અને રાત્રિની મેચોમાં ઝાકળનો સામનો કરવા માટે ‘2 બોલ’ નિયમ રજૂ કર્યો હતો, જેથી બૉલિંગ નિયમોમાં ફેરફાર માટે વકીલાત કરી રહેલા બૉલરોને ખૂબ રાહત મળી હતી.

શમી શમીએ JioHotstar પર કહ્યું કે, લાંબા સમયથી નિયમો બેટ્સમેનોના પક્ષમાં રહ્યા છે, પરંતુ હવે આખરે પરિસ્થિતિ થોડી બદલાઈ રહી છે. કોવિડ બાદ લાળના ઉપયોગ પર પ્રતિબંધને કારણે બૉલને રિવર્સ સ્વિંગ કરાવવાનું મુશ્કેલ બન્યું હતું, પરંતુ તેને હટાવ્યા બાદ બૉલરોને આખરે થોડું સ્વિંગ પાછું મળી શકે છે. સાથે જ, ભીના બૉલને બદલી શકવું ફાયદાકારક સ્થિતિ છે. સૂકો બૉલ વધુ સારી પકડ અને તકો આપે છે, ખાસ કરીને મુશ્કેલ પરિસ્થિતિઓમાં. શમીએ કહ્યું કે ઇજાઓ ફાસ્ટ બૉલરના જીવનનો એક હિસ્સો છે.

તેણે કહ્યું કે મને સ્વસ્થ થવામાં 14 મહિના લાગ્યા અને તે સરળ નહોતું, ખાસ કરીને ઘરેલુ કરિયર દરમિયાન મેં જે પડકારોનો સામનો કર્યો હતો તેને ધ્યાનમાં લેતા. લય અને યોગ્ય માનસિકતા કેળવવી મુશ્કેલ હતી. આ ફાસ્ટ બોલરે કહ્યું કે, 2023માં મને અચાનક ઈજાગ્રસ્ત થઈ. એટલે મેં શક્ય તેટલી વધુ સ્થાનિક મેચ રમવાનો નિર્ણય લીધો.12 કે 13 મેચ રમી. ઇંગ્લેન્ડ સીરિઝ સાથે-સાથે, તેણે મને મારો આત્મવિશ્વાસ પાછો મેળવવામાં મદદ મળી. પ્રદર્શનની વાત આવે ત્યારે મેં હંમેશાં મારું સર્વશ્રેષ્ઠ આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.