
પ્રાંતિજ ખાતે વન નેશન વન ઇલેક્શન પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયુ
– પ્રાંતિજ-તલોદ વિધાનસભા નું પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયુ
– વકતા તરીકે જયરાજસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા
– સાંસદ , ધારાસભ્ય , પૂર્વ સાંસદ , પૂર્વ મંત્રી , પાલિકા પ્રમુખ ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ વી.એસ.રાવલ પીટીસી કોલેજ ખાતે એક રાષ્ટ્ર , એક ઇલેક્શન વિષય સાથે પ્રભુ નાગરિકોનુ સંમેલન યોજાયુ









પ્રાંતિજ-તલોદ વિધાનસભા શ્રેત્રમા વન નેશન-વન ઇલેક્શન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયુ હતુ જેમા સંમેલન ના મુખ્ય વકતા તરીકે જયરાજસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામા કેબિનેટ મા વન નેશન વન ઇલેક્શન ને મંજૂરી આપી દીધી છે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ફરી થી લોકસભા ચુંટણી અને વિધાનસભા ચૂંટણી દેશ ભરમા એક સાથે આ નવી નેમ ને લઈ ને આર્થિક સાથે દેશમા અનેક ફાયદા થશે આમ લોકો ને એક રાષ્ટ્રીય એક ઇલેક્શન ના ફાયદા સમજાવ્યા હતા આ કાર્યક્રમ મા સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા , પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , પૂર્વ સાંસદ દિપસિંહ રાઠોડ , પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ , જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ , તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ , નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડયા , ભાજપ તાલુકા પ્રમુખ કલ્પેશભાઇ પટેલ , નગરપાલિકા કોર્પોરેટર ગીતાબેન પટેલ , રસિદભાઇ સુમરા , મહેશભાઇ મકવાણા સહિત ધવલભાઇ રાવલ , જીગ્નેશભાઇ પંડયા , સંજયભાઇ પટેલ સહિત પ્રાંતિજ-તલોદ ના વિવિધ ગામના સરપંચો ભાજપ કાર્યકરો આગેવાનો સહિત નગરજનો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા