fbpx

પિતૃ પક્ષમાં 100 વર્ષો બાદ લાગશે 2 ગ્રહણ, રાખો આ સાવધાની; નહીં તો ભોગવવા પડશે ખરાબ પરિણામ

Spread the love
પિતૃ પક્ષમાં 100 વર્ષો બાદ લાગશે 2 ગ્રહણ, રાખો આ સાવધાની; નહીં તો ભોગવવા પડશે ખરાબ પરિણામ

પિતૃ પક્ષ પિતૃઓને યાદ કરવાનો સમય હોય છે. આ વર્ષે પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બર 2025થી શરૂ થઈ રહ્યો છે અને 21 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. પૂર્વજોની આત્માની શાંતિ માટે આ દરમિયાન શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ કરવું મહત્ત્વપૂર્ણ હોય છે. તેના ફળસ્વરૂપ, પરિવારજનોને ખુશાલીનો આશીર્વાદ મળે છે, પરંતુ આ વખતે પિતૃ પક્ષમાં 2-2 ગ્રહણોનો પડછાયો મંડરાઈ રહ્યો છે. એવામાં, ચાલો અત્યારથી જાણીએ શું સાવચેતી રાખવી જોઈએ. પિતૃ પક્ષમાં બનતી 2 મોટી ખગોળીય ઘટનાઓ 100 વર્ષ બાદ થઈ રહી છે, જ્યાં પિતૃ પક્ષની શરૂઆત અને પૂર્ણાહુતિ ગ્રહણ સાથે થઈ રહી છે.

પિતૃ પક્ષનું પહેલું ગ્રહણ- ચંદ્રગ્રહણ

પિતૃ પક્ષની શરૂઆત ચંદ્રગ્રહણથી થશે. 7 સપ્ટેમ્બરના રોજ, ભારતીય સમય મુજબ આ ચંદ્રગ્રહણ રાત્રે 9:58 વાગ્યે થશે અને 1:26 વાગ્યે સમાપ્ત થશે. આ દરમિયાન ચંદ્રમાનો રંગ લાલ નજરે પડશે, જેને ખગોળશાસ્ત્રમાં બ્લડ મૂન કહેવામાં આવે છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે.

Pitru-Paksha-20251

પિતૃ પક્ષનું બીજું ગ્રહણ- સૂર્યગ્રહણ

પિતૃ પક્ષની પૂર્ણાહુતિ સૂર્યગ્રહણ સાથે થશે. 21 સપ્ટેમ્બરના રોજ, ભારતીય સમય અનુસાર આ સૂર્યગ્રહણ રાત્રે 10:59 વાગ્યે શરૂ થઈને લગભગ 3:23 વાગ્યા સુધી ચાલશે. જો કે તે રાત્રે છે એટલે ભારતમાં નહીં દેખાય.

ભારતમાં દેખાશે ગ્રહણ, આ ભૂલ ન કરતા

પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે, મંદિરમાં દાન આપવામાં આવે છે અને બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે, પરંતુ આ વર્ષે પિતૃ પક્ષ અગાઉ શ્રાદ્ધ એટલે કે પૂર્ણિમાવાળા શ્રાદ્ધ પર ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે.

ચંદ્રગ્રહણનો સૂતક કાળ 9 કલાક અગાઉ શરૂ થઈ જાય છે. સૂતક કાળથી ગ્રહણના અંત સુધી કેટલાક કાર્ય વર્જિત હોય છે. એવામાં આ સમય દરમિયાન મંદિરમાં ન જાવ, બ્રાહ્મણોને ભોજન પણ ન કરાવો, આ સમય દરમિયાન ભોજન પણ રાંધવામાં આવતું નથી. ગ્રહણ પૂર્ણ થયા બાદ જ પૂર્વજો માટે દાન કરો.

સૂતક કાળથી ગ્રહણ સમાપ્ત થાય ત્યાં સુધી ગર્ભવતી સ્ત્રીઓએ ઘરની બહાર ન નીકળવું જોઈએ, તેનાથી બાળક પર ખરાબ અસર પડી શકે છે. આ દિવસે ડિલિવરી ન કરાવો તો સારું રહેશે.

error: Content is protected !!