fbpx

30 વર્ષ, 72000 કરોડનો ખર્ચ.. શું છે ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ? જેને લઈને કોંગ્રેસના નિશાના પર સરકાર

Spread the love
30 વર્ષ, 72000 કરોડનો ખર્ચ.. શું છે ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ? જેને લઈને કોંગ્રેસના નિશાના પર સરકાર

ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ અંગે કોંગ્રેસ આક્રમક વલણ અપનાવી રહી છે. કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ વર્ષ 2021માં નીતિ આયોગ દ્વારા પ્રસ્તાવિત આ પ્રોજેક્ટને મુદ્દો બનાવીને કેન્દ્ર પર પ્રહાર કર્યો છે અને તેની પર્યાવરણીય અસર પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. બીજી તરફ, વળતો પ્રહાર કરતા ભાજપના પ્રવક્તા અનિલ કે. એન્ટનીએ કોંગ્રેસ પર હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ભારતના રણનીતિક હિતોને નબળા કરવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે આ પ્રોજેક્ટ નિકોબાર ટાપુના દક્ષિણ છેડે એક મહત્ત્વાકાંક્ષી ઈન્ફ્રા પ્રોજેક્ટ છે, જેનો અંદાજિત ખર્ચ લગભગ 72000 કરોડ રૂપિયા છે.

ગ્રેટ નિકોબાર આઇલેન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ભારતને હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં રણનીતિક રીતે મજબૂત બનાવવાના સરકારના પ્રયાસનો એક ભાગ છે. તેનો ઉદ્દેશ્ય ટાપુને વૈશ્વિક વેપાર, પરિવહન અને પર્યટનનું કેન્દ્ર બનાવવાનો છે. તેની જવાબદારી આંદામાન અને નિકોબાર દ્વીપ સંકલિત વિકાસ નિગમ લિમિટેડ (ANIIDCO)ને સોંપવામાં આવી છે. પ્રોજેક્ટની કિંમતની વાત કરીએ તો, અંદાજિત ખર્ચ લગભગ 72,000 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 30 વર્ષની ટાઈમલાઇન નક્કી કરવામાં આવી છે.

Nicobar Project

આ પ્રોજેક્ટ હેઠળ ટાપુ પર ગેલેથિયા-બેમાં વૈશ્વિક વેપાર માર્ગને મજબૂત બનાવવા માટે એક આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ, સારી કનેક્ટિવિટી પૂરી પાડવા માટે એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ટાઉનશીપ ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે, જેમાં લગભગ 3-4 લાખ લોકો માટે રહેણાંક, વાણિજ્યિક અને ઇન્સ્ટિટ્યૂશનલ સેક્ટર્સ હશે, જ્યાં સ્માર્ટ સિટી જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ સાથે એક સોલાર પ્લાન્ટ સ્થાપિત થવાનો છે, જે ગ્રીન એનર્જી પ્રદાન કરશે.

પ્રોજેક્ટમાં અત્યાર સુધી શું-શું થયું છે?

આ પ્રોજેક્ટમાં અત્યાર સુધી થયેલા કામને લઈને વાત કરીએ તો, તે તબક્કાવાર રીતે આગળ વધી રહ્યું છે. NTPCએ આ વર્ષે એપ્રિલમાં સૌર ઉર્જા પ્રોજેક્ટ માટે બીડ મગાવી હતી, જ્યારે ગયા વર્ષે સપ્ટેમ્બર 2024માં ગેલેથિયા બેને મુખ્ય બંદર જાહેર કરવામાં આવ્યું હતું. રિપોર્ટ મુજબ લગભગ એક ડઝન કંપનીઓએ તેને ચલાવવામાં રસ દાખવ્યો છે. તો, ટાઉનશીપ ડેવલપમેન્ટ માટે વૃક્ષોની ગણતરી અને કાપવાનું કામ પણ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય મંજૂરી નવેમ્બર 2022માં જ મળી ગઈ હતી. તો, તેની મોનિટરિંગ માટે 80 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે.

Nicobar Project

જ્યારે આ પ્રોજેક્ટને પર્યાવરણીય મંજૂરી મળી ગઈ છે, તો કોંગ્રેસ મુખ્યત્વે આ મુદ્દો ઉઠાવીને તેનો વિરોધ કરી રહી છે. સોમવારે સોનિયા ગાંધીએ ધ હિન્દુમાં પ્રકાશિત એક લેખમાં નિકોબાર પ્રોડક્ટની પર્યાવરણીય અસર પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું છે કે, આ ઇન્ફ્રા પ્રોજેક્ટ સરકારના યોજનાબદ્ધ કુપ્રયાસોની શ્રેણીમાં નવીનતમ છે અને તે ટાપુના આદિવાસી સમુદાયોના અસ્તિત્વ માટે જોખમ ઉભો કરી રહ્યો છે, તેની સાથે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની ઇકોસિસ્ટમમાંથી એક માટે પણ મોટું જોખમ છે. સોનિયા ગાંધી ઉપરાંત, સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસના ઘણા નેતાઓએ આ અંગે સરકારને ઘેરી છે.

કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા ભાજપના પ્રવક્તા અનિલ કે એન્ટનીએ કોંગ્રેસ પર હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ભારતના રણનીતિક હિતોને નબળા કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, આ ટાપુઓ ઇન્ડોનેશિયાથી 150 માઇલથી ઓછા અંતરે, મલાક્કા સ્ટ્રેટના પશ્ચિમી પ્રવેશદ્વાર પાસે સ્થિત છે, જે વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ નાકાબંધી ચોકપોઇન્ટ્સમાંથી એક છે. જે તેને ભારતની નૌકાદળ ક્ષમતાઓ, પાવર પ્રોજેક્શન, રણનીતિક ગણતરી સાથે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સંચાલન માટે એક મહત્ત્વપૂર્ણ સંપત્તિ બનાવે છે.

error: Content is protected !!