fbpx

રાવણ દહન કેમ? રામાયણમાં રાવણ દહનનો ઉલ્લેખ ક્યાંય નથી.. દશેરા અગાઉ ઉજ્જૈનમાં ગરમાયો વિવાદ

Spread the love
રાવણ દહન કેમ? રામાયણમાં રાવણ દહનનો ઉલ્લેખ ક્યાંય નથી.. દશેરા અગાઉ ઉજ્જૈનમાં ગરમાયો વિવાદ

ધાર્મિક નગરી ઉજ્જૈનમાં દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દેશભરમાં દશેરાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લોકો રાવણના પુતળાને દુષ્ટતાનું પ્રતિક માનીને તેનું દહન કરે છે. જોકે, મધ્ય પ્રદેશમાં મહાકાલ સેના અને અખિલ ભારતીય યુવા બ્રાહ્મણ સમાજે રાવણ દહનની પરંપરાનો વિરોધ વ્યક્ત કર્યો છે. આટલું જ નહીં, તેમણે ખાસ કરીને બ્રાહ્મણોને રાવણ દહન જેવા કાર્યક્રમોમાં ભાગ ન લેવાની અપીલ કરી છે. આ વર્ષે દશેરો 2 ઓક્ટોબરે ઉજવવામાં આવશે.

આ આખો મામલો ત્યારે ગરમાયો, જ્યારે ઉજ્જૈનના પરશુરામ મંદિરમાં અખિલ ભારતીય યુવા બ્રાહ્મણ સમાજે એક બેઠક થઈ. આ બેઠક દરમિયાન દેશભરમાં રાવણ દહનનો વિરોધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. મહાકાલ સેનાએ ખાસ કરીને બ્રાહ્મણોને રાવણ દહન જેવા કાર્યક્રમોમાં ભાગ ન લેવાની અપીલ કરી છે. મહાકાલ સેનાના સંરક્ષક મહેશ પૂજારીએ જણાવ્યું હતું કે, ‘ઇતિહાસ કે રામાયણમાં ક્યાંય રાવણ દહનનો ઉલ્લેખ નથી. આ પરંપરા હવે મનોરંજન અને રાજનીતિનું સાધન બની ગઈ છે. જે લોકો વાસ્તવમાં રામ જેવા છે તેઓ જ રાવણ દહન કરે.’

ravan-dahan1

અખિલ ભારતીય યુવા બ્રાહ્મણ સમાજે રામઘાટ, ગુદરી ચોક, મહાકાલ ખીણ અને ફ્રીગંજમાં શિવ મંદિર પાસે રાવણ દહનને લઈને પોસ્ટરો લગાવ્યા છે. આ પોસ્ટરો રાવણમાં સવાલ કરવામાં આવ્યો છે કે આખરે રાવણનું દહન શા માટે કરવામાં આવે અને આ પરંપરા કેમ બંધ ન થવી જોઈએ? ગયા વર્ષે પણ મહાકાલ સેનાએ મુખ્યમંત્રી મોહન યાદવને પત્ર લખીને રાવણ દહન પર પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી.

પોસ્ટરોમાં ઘણા સવાલ છે:

1. રાવણ દહન કેમ?

2. રાવણ અત્યાચારી કેવી રીતે?

3. સ્પષ્ટ કરો. મહાન વિદ્વાન, શિવ ભક્ત, શિવ તાંડવ સહિત અનેક જન ઉપયોગી ગ્રંથોના રચયિતા અને ભગવાન રામના નિવેદન પર રામેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કરનારનું અપમાન શા માટે?

4. શ્રી રામને નારાયણના અવતાર જાણ્યા બાદ પણ એક ભાઈએ પોતાની બહેન પર થયેલા અત્યાચારનો પડકાર સ્વીકાર્યો અને મોક્ષ પ્રાપ્ત કર્યો. તો શું ગુનો કર્યો?

ravan-dahan

5. લક્ષ્મણ ક્ષત્રિય હતા અને ક્ષત્રિય કોઈ મહિલા પર શસ્ત્ર ઉપાડતા નથી. શૂર્પણખા એક બ્રાહ્મણ કન્યા અને સ્ત્રી હતી, પરંતુ એક ક્ષત્રિયએ તેનું નાક અને કાન કાપી નાખ્યા હતા. શું આ ઉચિત હતું?

6. જો તમારા પરિવારના કોઈ સભ્ય સાથે શૂર્પણખા જેવો વ્યવહાર કરવામાં આવે તો તમે શું કરશો?

7. એક સામાન્ય વ્યક્તિએ પરમ સતી સીતા પર ઉઠાવીને તેના ચારિત્ર્ય પર શંકા કરી અને સીતાએ ફરી એકવાર વનવાસ જવું પડ્યું. તમે તે ધોબીના વિષયમાં શું કહેશો અને શું કરશો?

8. રાવણને માર્યા બાદ ભગવાન શ્રી રામને પર પણ બ્રહ્મહત્યાનો પાપ લાગ્યો હતો. તો શું રાવણ દહનમાં ભાગ લેનારાઓને પણ બ્રહ્મહત્યા (બ્રાહ્મણને મારવા)નો પાપ લાગશે કે નહીં? સનાતન ધર્મના લોકોને શાસ્ત્રોક્ત જવાબ આપવાનું કષ્ટ કરો અથવા બ્રાહ્મણોનું અપમાન કરવાનું બંધ કરો.

error: Content is protected !!