
ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા. એવું જાણવા મળ્યું છે કે, જગદીશ વિશ્વકર્માની નવી ટીમમાં 6 પ્રદેશ ઉપાધ્યક્ષ અને 4 મહામંત્રીનો સમાવેશ કરવાનું નક્કી કરાયું છે.
એ સિવાય આખા ગુજરાત ભાજપ સંગઠનનું માળખું પણ બદલાઇ જશે.
સૌથી પહેલા પ્રદેશ લેવલે ફેરફાર થશે એ પછી શહેર અને જિલ્લા લેવલે અને એ પછી બધા મોર્ચાની નિમણુંક થશે.
એક એ પણ સામે આવી છે કે, ગુજરાતમા બોર્ડ નિગમોમાં વરણી ઘણા સમયથી લટકી રહી છે હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે એ પહેલા બોર્ડ નિગમોમાં પણ નિમણુંક કરી દેવામાં આવશે.
