fbpx

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

Spread the love

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા. એવું જાણવા મળ્યું છે કે, જગદીશ વિશ્વકર્માની નવી ટીમમાં 6 પ્રદેશ ઉપાધ્યક્ષ અને 4 મહામંત્રીનો સમાવેશ કરવાનું નક્કી કરાયું છે.

એ સિવાય આખા ગુજરાત ભાજપ સંગઠનનું માળખું પણ બદલાઇ જશે.

સૌથી પહેલા પ્રદેશ લેવલે ફેરફાર થશે એ પછી શહેર અને જિલ્લા લેવલે અને એ પછી બધા મોર્ચાની નિમણુંક થશે.

એક એ પણ સામે આવી છે કે, ગુજરાતમા બોર્ડ નિગમોમાં વરણી ઘણા સમયથી લટકી રહી છે હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે એ પહેલા બોર્ડ નિગમોમાં પણ નિમણુંક કરી દેવામાં આવશે.

error: Content is protected !!