
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેએ NEET પેપર લીક સુધારા બિલ, વિદ્યાર્થી આંદોલન અને સરકારની ભૂમિકા વિશે એક મુલાકાતમાં ખુલ્લેઆમ વાત કરી. આ વાતચીત સંસદના બંને ગૃહોમાં પેપર લીક સુધારા બિલ પસાર થયા પછી થઈ હતી અને PM નરેન્દ્ર મોદીએ તેના પર એક વીડિયો બહાર પાડ્યો હતો.
અભિજીતે કહ્યું કે, આ બિલ પેપર લીક અટકાવવાને બદલે પોસ્ટ-લીડ પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે અસરગ્રસ્ત પરિવારોને વળતર ન મળવાનો, નવા શિક્ષણ પ્રધાનની નિમણૂક અને સરકારના ઇરાદા પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, સોનમ વાંગચુકને મળવાનો પ્રયાસ કરવા છતાં તેમને રોકવામાં આવ્યા હતા, અને આંદોલનને કોઈ રાજકીય પક્ષ તરફથી નહીં પરંતુ સામાન્ય લોકો તરફથી સમર્થન મળ્યું છે. અભિજીતે સ્પષ્ટતા કરી કે તેઓ કોઈ રાજકીય પક્ષ બનાવશે નહીં પરંતુ વિદ્યાર્થી અને યુવાનોના મુદ્દાઓને એક જૂથ તરીકે ઉઠાવવાનું ચાલુ રાખશે. તેમણે મીડિયા કવરેજમાં વિલંબ પર પણ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે આંદોલનનો માર્ગ હંમેશા લોકશાહી અને શાંતિપૂર્ણ રહેશે.

આ મુલાકાતમાં તેમને પૂછવામાં આવ્યું કે, પેપર લીક સુધારા બિલ સંસદમાં પસાર થઇ ચૂક્યું છે. તમને લાગે છે કે આ બિલ જરૂરી હતું, અને સરકારના દાવા મુજબ આ કડક કાયદો પેપર લીક અટકાવવામાં સફળ થશે?
અભિજીતે જણાવ્યું કે, આ બિલ વિશે હું જે સમજું છું તે સ્પષ્ટ છે કે તે પેપર લીક અટકાવવા પર નહીં, પરંતુ પેપર લીક થયા પછી શું કરવું તેના પર કેન્દ્રિત છે. જેલની સજા 4 વર્ષથી વધારીને 10 વર્ષ કરવામાં આવી છે, અને દંડમાં વધારો કરવામાં આવ્યો છે, જેનો અર્થ એ છે કે સરકાર ધારી રહી છે કે પેપર લીક અનિવાર્યપણે થશે. અમારી માંગ અને આંદોલન પેપર લીક અટકાવવા માટે હતું, પરંતુ બિલનું સંપૂર્ણ ધ્યાન પછીના પગલાં પર છે.
મને સરકારના ઇરાદા પર પણ શંકા છે. PM મોદીએ ફાસ્ટ-ટ્રેક કોર્ટ વિશે વાત કરી હતી, અને લોકો ખુશ થયા હતા, પરંતુ CBIની દલીલ મજબૂત ન હોવાને કારણે પહેલી સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી. જ્યાં સુધી ઇરાદો મજબૂત ન હોય, ગમે તેટલા કાયદા ઘડવામાં આવે, કંઈ નક્કર પરિણામ નહીં આવે. સરકારે પેપર લીક અટકાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, પેપર લીક પછીના સંચાલન પર નહીં.

આગળ તેમને પૂછવામાં આવ્યું કે, તમને લાગે છે કે સરકાર દબાણ સામે ઝૂકવાનો પ્રયાસ કરી રહી છે?, ત્યારે તેમણે કહ્યું કે, હા, મને ખુશી છે કે છેલ્લા 10-12 વર્ષથી ફક્ત હિન્દુ-મુસ્લિમ રાજકારણ રમી રહેલા PMને હવે શિક્ષણ વિશે વાત કરવાની અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ પોસ્ટ કરવાની ફરજ પડી છે. આ દેશના વિદ્યાર્થીઓ અને યુવાનો માટે એક મોટી જીત છે. જોકે, નવા શિક્ષણ પ્રધાન બિલ્કીસ બાનોના ગુનેગારોને આપવામાં આવેલા સ્વાગતને સમર્થન આપતા જોવા મળ્યા. બળાત્કારના આરોપીના સમર્થકને શિક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કરવાથી દેશના શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને શું સંદેશો મળી રહ્યો છે તે દેખાય છે. નવા સચિવ પણ આ અગાઉ ભ્રષ્ટાચારના આરોપોમાં ફસાયેલા છે. આ એક ખરાબ વ્યક્તિને દૂર કરીને બીજાને પુરસ્કાર આપવા જેવું છે.
સૂત્રોએ પછી પૂછ્યું કે, પેલેટ ગનનો ઉપયોગ અને રાહુલ ગાંધી દ્વારા ગૃહ પ્રધાન અમિત શાહના રાજીનામાની માંગણી અંગે સંસદમાં સારી એવી ચર્ચા થઈ છે. તમારી માંગણીઓમાં કેસ પાછો ખેંચવાનો સમાવેશ થાય છે, શું તે માંગ પુરી થઇ કે પછી તમે આના માટે બીજો વિરોધ શરુ કરશો?
ત્યારે અભિજીતે કડક ભાષામાં કહ્યું કે, સરકારે એવા ભ્રમમાં ન રહેવું જોઈએ કે એક મંત્રીના રાજીનામાથી જનતાનો ગુસ્સો ઓછો થઈ ગયો છે. આ ગુસ્સો ફક્ત એક મંત્રી સામે નહોતો, તે આખી સરકાર સામે હતો, અને જે પ્રકારની ક્રૂરતા થઈ છે, ત્યાર પછી તે ખુબ તીવ્ર બની છે. જો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે દાખલ કરાયેલા કેસ પાછા ખેંચવામાં નહીં આવે અને તેમને હેરાન કરવામાં આવતા રહેશે, તો અમારી પાસે રસ્તા પર ઉતરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. સરકારે સ્પષ્ટ નિવેદન આપવું જોઈએ કે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામેના બધા કેસ પાછા ખેંચવામાં આવશે અને પોલીસ ભવિષ્યમાં કોઈને હેરાન નહીં કરે.

સારી વાત છે, પરંતુ તમે એ બતાવો કે સરકારે સૌપ્રથમ તમારો સંપર્ક ક્યારે કર્યો હતો? દીપકેએ જણાવ્યું કે, સરકારનો પહેલો સંપર્ક 20 જુલાઈ પહેલા જ થઇ ગયો હતો, કદાચ તેમણે લાગ્યું કે ભીડ મોટી થતી જાય જાય છે. અને આ સંપર્ક પોલીસ દ્વારા થયો હતો, શરૂઆતમાં અમને જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ અમે કહ્યું હતું કે જ્યાં સુધી અમે ટોચના નેતૃત્વ સાથે વાત નહીં કરીએ ત્યાં સુધી અમે વાત કરીશું નહીં, કારણ કે જિલ્લા મેજિસ્ટ્રેટ શિક્ષણ મંત્રીનું રાજીનામું સ્વીકારી શકતા નથી.
અહીં અમે તમને એ પૂછવા માંગીએ છીએ કે, રાહુલ ગાંધીએ અચાનક PMના નિવાસસ્થાન સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું, તો આમ આદમી પાર્ટીએ રાહુલ ગાંધી પર ‘આંદોલનને વિભાજીત કરવાનો’ આરોપ લગાવ્યો. આ અંગે તમે શું કહેવા માંગો છો? તેમણે કહ્યું કે, રાજકીય પક્ષો તેમની રાજનીતિ કરતા રહે, અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. આ આંદોલન સંપૂર્ણપણે જનતા દ્વારા ચલાવવામાં આવ્યું હતું અને તે સ્વતંત્ર હતું. દેશમાં જ્યારે પણ કોઈ આંદોલન ઊભું થાય છે, ત્યારે તેને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવે છે. પછી ભલે તે અન્ના આંદોલન હોય, ખેડૂતોનું આંદોલન (જેને ખાલિસ્તાની તરીકે ઓળખવામાં આવ્યું હતું), ડોક્ટરોનો વિરોધ (જેને પાકિસ્તાન સાથે જોડવામાં આવ્યું હતું), CAA વિરોધ હોય કે તાજેતરના નોઈડા મજૂર વિરોધ, પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે, આ દેશ આંદોલનોથી જ બન્યો હતો, અને કટોકટી પછી આંદોલનો દ્વારા લોકશાહી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.
અભિજીતને પૂછવામાં આવ્યુંકે, પેપર લીક એ દેશમાં લાંબા સમયથી ચાલતી સમસ્યા છે, અને ફક્ત NEETનો મુદ્દો જ નહીં, તે ઝારખંડ, પંજાબ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ આવું બન્યું છે. તો પછી તમે ફક્ત કેન્દ્ર સરકારને જ રાજીનામું આપવાનું કેમ કહી રહ્યા છો?, તેના પર તેણે જણાવ્યું હતું કે, જ્યાં પણ પરીક્ષા સુધારાની જરૂર હોય ત્યાં અમે જઈશું, કારણ કે લોકોને હવે અમારી પાસેથી અપેક્ષાઓ છે. અમારા સાથી આશુતોષ દોઢ વર્ષથી રાજસ્થાનમાં પેપર લીકના મુદ્દા પર કામ કરી રહ્યા છે. મેં ભૂતકાળમાં મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC) સંબંધિત વિરોધ પ્રદર્શનોમાં વ્યક્તિગત રીતે ભાગ લીધો હતો. CJPને એક મોટું પ્લેટફોર્મ મળ્યું છે, અને હવે જ્યાં પણ શિક્ષણ પ્રણાલીમાં અનિયમિતતાઓ હશે ત્યાં અમે અવાજ ઉઠાવીશું.

વિરોધ પ્રદર્શન દરમિયાન, PM વિરુદ્ધના દુર્વ્યવહાર અને પોસ્ટરો વિશે પણ ઘણી ચર્ચા થઈ હતી. તેના પર તેમને કહેવામાં આવ્યું કે, શું તમને લાગે છે કે આ ન થવું જોઈતું હતું? તેના પર પોતાનું મંતવ્ય આપતા તેણે કહ્યું કે, હું અપશબ્દોને સમર્થન આપતો નથી, તે ન થવું જોઈતું હતું. પરંતુ વ્યંગ અને મીમ્સને મંજૂરી આપવી જોઈએ. તેઓ આ દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિ છે, જે વિશ્વ નેતા હોવાનો દાવો કરે છે, તેથી તેણે બાળકોના મજાકથી ડરવું જોઈએ નહીં. જ્યારે પોલીસ લાઠીચાર્જ કરી રહી હતી ત્યારે પણ બાળકો મીમ્સથી જવાબ આપી રહ્યા હતા. આનાથી વધુ સુંદર કંઈ હોઈ શકે નહીં. ક્રૂરતાનો સામનો રમૂજ અને વ્યંગથી થવો જોઈએ, હિંસાથી નહીં.
તેમણે કરેલા પ્રદર્શનની બાબતમાં પૂછ્યું હતું કે, તમે પ્રદર્શનને ‘ઠંડુ’ બનાવી દીધું,, જ્યારે પહેલાં, આ પ્રદર્શનને નિષિદ્ધ માનવામાં આવતું હતું, ‘આંદોલનકર્તા’ જેવા શબ્દો બનાવવામાં આવ્યા હતા. તમે આ પરિવર્તનને કેવી રીતે જુઓ છો? તેનો શાંતિપૂર્ણ જવાબ આપતા તેણે કહ્યું કે, વિરોધ પ્રદર્શનનું શાંત હોવું એ લોકશાહી માટે સારી બાબત છે. બંધારણમાં ક્યાંય લખ્યું નથી કે ફક્ત અમુક પ્રકારના કપડાં પહેરેલા લોકો જ વિરોધ કરી શકે છે, ડૉ. આંબેડકરે દરેકને સમાન અધિકાર આપ્યા છે.

તેમની ભવિષ્યની યોજનાઓ પર અને તેમના રાજકીય પક્ષ બનાવવા પર પુછતા તેમણે કહ્યું કે, આ આંદોલનથી મને ખ્યાલ આવ્યો છે કે કોઈ પણ રાજકારણી જનતાનું સાંભળતો નથી. લોકોની સૌથી મોટી ફરિયાદ એ છે કે તેમને સાંભળવામાં આવતા નથી. તેથી, અમારે પહેલા આ લોકો સુધી પહોંચવું પડશે અને સમજવું પડશે કે તેમને ખરેખર શું જોઈએ છે, તેમની અપેક્ષાઓ અને ચિંતાઓ શું છે. હાલમાં, 3 મુખ્ય મુદ્દાઓ છે, શિક્ષણ-જે સમગ્ર દેશને અસર કરે છે, બેરોજગારી-જે વિરોધ પ્રદર્શનોમાં વડીલોનું ઉપસ્થિત રહેવું એક મુખ્ય પરિબળ હતું, અને સંસ્થાઓ અને સિસ્ટમમાં લોકોનો ઘટતો જતો વિશ્વાસ.
અમે કોઈપણ રાજકીય પક્ષમાં જોડાઈશું નહીં. આ એક ‘રિસ્પોન્સ ગ્રુપ’ છે, જે આગામી ચૂંટણી સુધી વિવિધ મુદ્દાઓ પર કામ કરશે અને જનતા અને યુવાનોનો અવાજ ઉઠાવશે.

મીડિયા સૂત્રએ પૂછ્યું કે હવે, રાજકીય નેતાઓ તમારા ઘરે આવવા લાગ્યા છે. શું કોઈ પક્ષે તમને જોડાવા માટે આમંત્રણ આપ્યું છે? દીપકે એ ચોખ્ખું કહ્યું કે, ના, કોઈએ અમને કોઈ પક્ષમાં જોડાવા માટે કહ્યું નથી. જે લોકો આવી રહ્યા છે તેઓ ફક્ત અમને સારા કામ કરવા અને વિદ્યાર્થીઓને ન્યાય આપવા બદલ અભિનંદન આપી રહ્યા છે.
સરકારે કહ્યું કે તે તમારી સાથે વાતચીત કરશે અને સુધારાઓનો મુસદ્દો તૈયાર કરશે, તો શું તે વાતચીત શરૂ થઈ ગઈ છે? તેના પર તેણે કહ્યું કે, વાતચીતમાં કેટલીક મુશ્કેલીઓ આવી છે, પરંતુ અમે સરકાર પર આગળ વધવા માટે દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારી માંગણીઓને આગળ વધારવા માટે સરકાર સાથે જોડાયેલા રહેવું મહત્વપૂર્ણ છે, અન્યથા જો આ વાત બનશે નહીં તો, અમે ફરીથી રસ્તા પર ઉતરીશું.