fbpx

RSSનો મોટો પ્લાન, 100થી વધુ શહેરોના Gen Z યુવાનો સાથે સંવાદ કરશે મોહન ભાગવત

Spread the love

RSSનો મોટો પ્લાન, 100થી વધુ શહેરોના Gen Z યુવાનો સાથે સંવાદ કરશે મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત 6 ઓગસ્ટે દેશના યુવાનો સાથે વાતચીત કરશે. RSS દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તેઓ મુંબઈ ખાતે દેશના Gen-Z અને Gen Alpha યુવાનોને સંબોધિત કરશે.

આ કાર્યક્રમ ‘ઈન્ડિયાઝ ઈન્ટરનેશનલ મુવમેન્ટ ટુ યુનાઈટ નેશન્સ’ (I.I.M.U.N.)ની 15મી વર્ષગાંઠ અને તેની વાર્ષિક ચેમ્પિયનશિપ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે યોજાઈ રહ્યો છે. આ સંમેલનમાં દેશભરના 100થી વધુ શહેરોમાંથી 15થી 19 વર્ષની વયજૂથના 2,000થી પણ વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે.

Mohan-Bhagwat1

IIMUN એ યુવાનો દ્વારા જ સંચાલિત એક ગ્લોબલ પ્લેટફોર્મ છે, જે ભારતના 275 શહેરો અને 40થી વધુ દેશોમાં ફેલાયેલું છે. RSSના જણાવ્યા અનુસાર, આ સંસ્થાની સ્થાપના વર્ષ 2011માં થઈ હતી અને 15થી 24 વર્ષના યુવાનો જ તેનું સંચાલન કરે છે. તેના વિવિધ કાર્યક્રમોના માધ્યમથી અત્યાર સુધીમાં 7.5 કરોડથી વધુ યુવાનો અને 1.5 લાખથી વધુ સ્કૂલ-કોલેજો આ મંચ સાથે જોડાઈ ચૂક્યા છે.

તાજેતરમાં દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શનનો મુદ્દો શેરીઓથી લઈને સંસદ સુધી ગૂંજી રહ્યો છે. વિપક્ષે આ વિરોધને ‘Gen-Z આંદોલન’ ગણાવ્યું હતું. કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોનું કહેવું છે કે Gen-Zના દબાણને કારણે સરકારે નમતું જોખવું પડ્યું અને ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું. દિલ્હીમાં થયેલા આ પ્રોટેસ્ટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઇન્સ્ટાગ્રામ પર 5 વખત Gen-Z સાથે સીધો સંવાદ કરી ચૂક્યા છે.

આ અગાઉ મોહન ભાગવતે ભારતીય સંસ્કૃતિ અને સમાજમાં બદલાતા મૂલ્યો વિશે વાત કરતા કહ્યું હતું કે, સમય સાથે બદલાવ કરવો એ પણ માતૃત્વનું એક મહત્વપૂર્ણ પાસું છે. જીવનમાં પરિવર્તન એ એક કુદરતી પ્રક્રિયા છે અને મનુષ્ય પોતાના અનુભવોમાંથી સતત શીખતો રહે છે. શીખવાના ઘણા માધ્યમો હોય છે. જો યોગ્ય માર્ગદર્શન મળે તો વ્યક્તિ સરળતાથી આગળ વધે છે, પરંતુ ઘણી વખત અનુભવ જ સૌથી મોટો શિક્ષક બની જતો હોય છે. ભલે અનુભવમાંથી મળતો પાઠ કઠિન હોય, છતાં તે આખી જિંદગી સાથે રહે છે.

Mohan Bhagwat

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, માતાનો સ્નેહ અને ભાવનાત્મક સપોર્ટ માત્ર બાળપણ પૂરતો સીમિત નથી હોતો. બાળક જેમ-જેમ મોટું થાય છે, તેમ તે ઘણી વખત માતાની વાતોનો વિરોધ પણ કરે છે; પરંતુ તેમ છતાં માતા સાથેનો સંબંધ સૌથી અનોખો અને કાયમી રહે છે. જીવનના દરેક તબક્કે વ્યક્તિને ભાવનાત્મક સહારાની જરૂર હોય છે અને માતા એવું સ્થાન છે જ્યાં વ્યક્તિ કોઈપણ સંકોચ વગર પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે છે.

Leave a Reply

error: Content is protected !!