fbpx

દિલ્હીમાં 5 માળનું બિલ્ડિંગ ધરાશાયી થતા અનેક લોકો દબાયા, 2એ જીવ ગુમાવ્યા, સેનાએ મોરચો સંભાળ્યો

Spread the love

દિલ્હીમાં 5 માળનું બિલ્ડિંગ ધરાશાયી થતા અનેક લોકો દબાયા, 2એ જીવ ગુમાવ્યા, સેનાએ મોરચો સંભાળ્યો

દિલ્હીમાં મુશળધાર વરસાદ વચ્ચે એક હૃદયદ્રાવક ઘટના બની છે. દક્ષિણ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં અચાનક એક ઇમારત ધરાશાયી થઈ. આ દુ:ખદ અકસ્માતમાં અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અકસ્માતની માહિતી મળતાં પોતાનો કાર્યક્રમ અટકાવી દીધો. શાહ BJPના નવા કાર્યાલયના ઉદ્ઘાટન માટે ગોવામાં હતા. દિલ્હીમાં ઇમારત ધરાશાયી થવાની માહિતી મળતાં તેમણે પોતાનો કાર્યક્રમ અટકાવી દીધો.

દિલ્હી BJPના સાંસદ રામવીર સિંહ બિધુરીએ જણાવ્યું હતું કે, સરકારે અકસ્માતના કારણની તપાસ માટે એક સમિતિની રચના કરી છે અને જે કોઈ દોષિત ઠરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. રામવીર બિધુરીના જણાવ્યા અનુસાર, ઇમારતના માલિક સામે FIR દાખલ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસનું કહેવું છે કે બપોરે લગભગ 1:34 વાગ્યે, દક્ષિણ કેમ્પસ પોલીસ સ્ટેશનને નાનકપુરા ગુરુદ્વારા નજીક ઇમારત ધરાશાયી થવાની માહિતી મળી હતી. સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ, CAT એમ્બ્યુલન્સ અને અન્ય ઇમર્જન્સી સેવાઓ ઘટનાસ્થળે હાજર છે. NDRF ટીમ પણ પહોંચી ગઈ છે, અને બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. કાટમાળમાં ફસાયેલા લોકોની ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી. કાટમાળમાંથી બચાવી લેવામાં આવેલા અને AIIMS ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયેલા 3 લોકોની હાલત ગંભીર છે. અત્યાર સુધીમાં 6 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

02

દિલ્હીના CM આ ઘટના અંગે અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. CM રેખા ગુપ્તાએ પીડિતોને શક્ય તેટલી બધી સહાય આપવાનો આદેશ આપ્યો છે. CM જિલ્લા મેજિસ્ટ્રેટ, દિલ્હી પોલીસ અને NDRF અધિકારીઓ સાથે સંપર્કમાં છે.

દિલ્હી સરકારના મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, લોકોને શક્ય તેટલી વહેલી તકે બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

દિલ્હીના મંત્રી પ્રવેશ વર્માએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે NDRF, દિલ્હી ફાયર સર્વિસ, દિલ્હી પોલીસ, DDMA, MCD, CATS અને નાગરિક સંરક્ષણની બચાવ ટીમો ઘટનાસ્થળે હાજર છે અને ફસાયેલા લોકોને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

દિલ્હી સરકારના મંત્રી આશિષ સૂદે જણાવ્યું હતું કે, બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને સંબંધિત ટીમોને ઘટનાસ્થળે હાજર લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે જરૂરી તમામ પગલાં લેવા સૂચના આપી છે.

કોંગ્રેસના નેતા અભિષેક દત્તે અકસ્માત અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારે તાત્કાલિક આ બાળકો અને તેમના પરિવારોને સહાય પૂરી પાડવી જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે આવી ઘટના ફરી ન બને.

એપાર્ટમેન્ટના માલિકનું નામ આનંદ બંસલ છે.

03

દિલ્હીના વિપક્ષી નેતા આતિશીએ પણ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે વહીવટીતંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા અપીલ કરી હતી. તેમણે માંગ કરી હતી કે સરકાર અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસ કરે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરે.

કાટમાળમાંથી એક વ્યક્તિને જીવતો બચાવી લેવામાં આવ્યો છે અને તેને સારવાર માટે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

BJPના રાષ્ટ્રીય મહાસચિવ સ્મૃતિ ઈરાનીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.

દિલ્હીના ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલે ઘટના પર દુઃખ વ્યક્ત કરતા દિલ્હી સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે સરકારની બેદરકારીને કારણે દિલ્હીમાં અત્યાર સુધીમાં ઘણા અકસ્માતો થઈ ચૂક્યા છે.

આ ઘટના મોતી બાગના સત્ય નિકેતનમાં શિવ મંદિર પાસે બની હતી, જ્યાં એક બહુમાળી ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડના અનેક વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

04

CM રેખા ગુપ્તાએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘RK પુરમના સત્ય નિકેતનમાં ઇમારત ધરાશાયી થવાથી મને ખૂબ જ દુઃખ થયું છે. DDMA, NDRF, દિલ્હી ફાયર સર્વિસીસ, દિલ્હી પોલીસ, MCD, CATS અને સિવિલ ડિફેન્સની ટીમો યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરી રહી છે. સાવચેતી રૂપે, નજીકની ઇમારતોને ખાલી કરાવવામાં આવી છે.’

CM રેખા ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બચાવવા અને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે, અને તમામ સંબંધિત એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. દરેક નાગરિકની સલામતી અને સુખાકારી અમારી ટોચની પ્રાથમિકતા છે.

NSUIએ આ ઘટના અંગે સરકાર પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. NSUIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, ‘દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ નજીક સત્ય નિકેતનમાં ઇમારત ધરાશાયી થવાના સમાચાર અત્યંત ચિંતાજનક છે. DUના વિદ્યાર્થીઓ કાટમાળ નીચે ફસાયેલા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.’

05

NSUIએ આગળ લખ્યું, ‘વિદ્યાર્થીઓ અને જનતાની સુરક્ષા પ્રત્યે બેદરકારી કોઈપણ કિંમતે સહન કરવામાં આવશે નહીં. DU વહીવટીતંત્ર અને સરકારે તાત્કાલિક યુદ્ધ સ્તરનું બચાવ કાર્ય શરૂ કરવું જોઈએ, દરેક વિદ્યાર્થી અને વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવો જોઈએ, અને આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ અને અને તે માટે જે જવાબદાર હોય તેને સામે લાવવા જોઈએ. વિદ્યાર્થીઓના જીવન સાથે બેદરકારી કોઈપણ કિંમતે સહન કરવામાં આવશે નહીં.’

NSUIએ જણાવ્યું હતું કે PM નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ વિશે વાત કરવા માટે ઉચ્ચ-પ્રોફાઇલ મંચોની મુલાકાત લે છે, પરંતુ જ્યારે તેમની સલામતી અને જીવનની વાત આવે છે, ત્યારે સરકાર તેમને ભૂલી જાય છે. કેન્દ્રમાં BJP સરકાર, દિલ્હીમાં BJP સરકાર, MCDમાં BJPના મેયર, જ્યારે બધું તમારું જ છે, ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી કોણ લેશે? આખરે ક્યાં સુધી વહીવટી તંત્રની બેદરકારીની કિંમત વિદ્યાર્થીઓ તેમના જીવ આપીને ચૂકવતા રહેશે?

Leave a Reply

error: Content is protected !!