fbpx

ગુરુચરણ સિંહે કામ માંગ્યું, TMKOC પ્રોડ્યૂસરે ના પાડી, બહારનો રસ્તો બતાવ્યો!

Spread the love

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘મિસ્ટર સોઢી’નું પાત્ર ભજવીને ફેમસ થયેલા ગુરુચરણ સિંહની જિંદગી ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તાજેતરમાં તેણે અસિત કુમાર મોદી પાસે કામ માંગવા માટે સંપર્ક કર્યો હતો. જ્યાંથી તેમને માત્ર નિરાશા જ મળી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાએ તેને કામ આપવાની ના પાડી દીધી છે.

ગુરુચરણ સિંહ પાસે આજકાલ કોઈ કામ નથી. તેઓ બેરોજગાર છે. તે સતત કામની શોધમાં રહે છે. તાજેતરમાં, કામના સંદર્ભમાં, તે TV શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત કુમાર મોદીને પણ મળ્યો હતો. એવી અટકળો હતી કે તે આ શોમાં ‘મિસ્ટર સોઢી’ના રોલમાં પરત આવી શકે છે. જોકે, હવે એવું કંઈ થવાનું નથી.

અહીં તમને યાદ અપાવી દઈએ કે, ગુરુચરણ સિંહ થોડા મહિના પહેલા અચાનક ગુમ થઈ ગયા હતા. તેના પિતાએ પોલીસ સ્ટેશન જઈને ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ગુમ થયાના લગભગ 25 દિવસ પછી તે અચાનક ઘરે પરત ફર્યો હતો. તેના ગુમ થવા અને પછી અચાનક પાછા ફરવાથી બધાને આઘાત લાગ્યો હતો. ઘણા લોકોએ તેના ગાયબ થવાને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો.

જો કે, પરત ફર્યા પછી ગુરુચરણે કહ્યું કે, તે આધ્યાત્મિક યાત્રા પર જવા માંગતો હતો, તેથી તે કોઈને કંઈપણ કહ્યા વિના ઘરેથી ગાયબ થઈ ગયો હતો. તેણે એમ પણ કહ્યું કે, તે સતત આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો હતો. તેના પર ઘણું દેવું હતું, જે તે ચૂકવવામાં અસમર્થ હતો. તેની પાસે કોઈ કામ નથી.

તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે, ઘરે પરત ફર્યા પછી ગુરુચરણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદીને મળ્યા હતા. તેણે પ્રોડ્યુસરને પોતાની સમસ્યાઓ જણાવી અને ખુલ્લેઆમ કામ માંગ્યું. અસિત મોદીએ પણ તેમને ખાતરી આપી હતી કે, તેઓ તેમના ટીવી શોમાં તેમને કામ આપશે. જોકે હવે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ગુરુચરણે અસિત મોદીને તેમને TMKOC પર પાછા લઈ લેવા વિનંતી કરી. તેણે નિર્માતાને કહ્યું હતું કે, દર્શકોને શોમાં નવો ‘રોશન સિંહ સોઢી’ પસંદ નથી આવી રહ્યો. તેણે નિર્માતાને મીડિયા સાથે વાત કરવાનું પણ કહ્યું. જોકે, અસિત મોદીએ ના પાડી હતી. હવે એવી અટકળો ચાલી રહી છે કે, અસિત મોદીએ ગુરુચરણને સ્પષ્ટપણે ના પાડી દીધી છે. તેઓએ કહ્યું કે, તેઓ તેને TMKOC પર પાછા લઈ જઈ શકતા નથી.

મીડિયા સૂત્રો સાથે વાત કરતા ગુરુચરણ સિંહે ફરી એકવાર પોતાનું દર્દ શેર કર્યું છે. આ દરમિયાન તેણે કહ્યું કે, તે સંપૂર્ણપણે બેરોજગાર છે. તેમની પાસે કોઈ કામ નથી. રિપોર્ટ અનુસાર, ગુરુચરણે કહ્યું કે, જ્યારે હું ગુમ થયો હતો ત્યારે અસિત કુમાર મોદીએ મને એક મેસેજ મોકલ્યો હતો, જેમાં તેમણે ફોન કરવાનું કહ્યું હતું. જ્યારે હું પાછો ફર્યો, ત્યારે મેં મારા સંપર્કમાં રહેલા તમામ લોકોને મળવાનું નક્કી કર્યું હતું.

ત્યાર પછી અસિત મોદીએ પણ એક નિવેદનમાં તેમની મુલાકાત વિશે વાત કરી અને કહ્યું, ‘મારા માટે સોઢી મારા પરિવાર સમાન છે. તે લાંબા સમય સુધી અમારી સાથે જોડાયેલા રહ્યા. અંગત કારણોસર શો છોડ્યા પછી તે જ્યારે પણ મુંબઈ આવતો ત્યારે મને મળવા આવતો હતો.’ તેણે એમ પણ કહ્યું કે, ‘થોડા સમય પહેલા તેણે જે કર્યું હતું તેનાથી હું ચિંતિત હતો અને આ ચિંતાને કારણે જ મેં તેને મેસેજ કર્યો હતો. તે આજે અમારી ઓફિસમાં આવ્યો હતો અને અમે દિલ ખોલીને વાતચિત કરી હતી અને તેના ભવિષ્ય માટે તેમને શુભેચ્છા પાઠવી હતી.’

error: Content is protected !!