fbpx

CM પુષ્કર સિંહ ધામીએ પોતાના જ મંત્રી અને મુખ્ય સચિવની વાત ન સાંભળી

Spread the love

રેકોર્ડ દર્શાવે છે કે CM ધામીએ પોતાની સરકારમાં વન મંત્રી અને મુખ્ય સચિવની વિનંતીઓ સાંભળી ન હતી. તેમણે રાજાજી ટાઈગર રિઝર્વનો ચાર્જ એવા અધિકારીને આપ્યો છે જેને બે વર્ષ પહેલા જિમ કોર્બેટના વડા તરીકે હાઈકોર્ટની કાર્યવાહી પછી હટાવી દેવામાં આવ્યા હતા.

તેમની સરકારમાં વન મંત્રી અને મુખ્ય સચિવની વિનંતીને અવગણીને CM પુષ્કર સિંહ ધામીએ રાજાજી ટાઈગર રિઝર્વના મુખ્ય વન સંરક્ષક (CCF)નો હવાલો ભારતીય વન અધિકારી રાહુલને સોંપ્યો છે. IFS રાહુલને બે વર્ષ પહેલા જિમ કોર્બેટ ટાઈગર રિઝર્વના ઈન્ચાર્જના પદ પરથી હટાવવામાં આવ્યા હતા.

મીડિયા સૂત્રોના સમાચાર અનુસાર, રાજ્યના રેકોર્ડ દર્શાવે છે કે, CM પુષ્કર સિંહ ધામીએ 8 ઓગસ્ટના રોજ હાથથી લખેલી નોંધ દ્વારા IFS અધિકારી રાહુલને રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાનના મુખ્ય વન સંરક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા. રાહુલે 9 ઓગસ્ટે ચાર્જ સંભાળ્યો હતો. અત્યાર સુધી રાહુલ નોન-ફિલ્ડ પોસ્ટિંગ પર હતો. તેમની પાસે વન વિભાગના મોનિટરિંગ, ઈવેલ્યુએશન, IT અને આધુનિકીકરણ વિભાગનો હવાલો હતો. રેકોર્ડ દર્શાવે છે કે તેને હવે નવી પોસ્ટિંગ આપવામાં આવી છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, રાજ્યના વન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ તેમને જણાવ્યું હતું કે, IFS રાહુલનું નામ જિમ કોર્બેટમાં ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવામાં અને ગેરકાયદેસર બાંધકામમાં નથી. CBIની FIRમાં પણ તેમનું નામ ન હતું. જો કે તેમની સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ ત્યાર પછી તે વાતને પણ બે વર્ષ વીતી ગયા છે.

જ્યારથી રાહુલને જીમ કોર્બેટથી દૂર કરવામાં આવ્યા ત્યારથી તેને દેહરાદૂનમાં નોન-ફિલ્ડ પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. રેકોર્ડ્સ અનુસાર, તેમને ટાઈગર રિઝર્વના ઈન્ચાર્જ બનાવવાની દિશામાં પહેલું પગલું 18 જુલાઈએ લેવામાં આવ્યું હતું. તે સમયે, ઉત્તરાખંડના વન મંત્રીએ, CMની મંજૂરીથી, રાજાજી ટાઇગર રિઝર્વના તત્કાલીન ડિરેક્ટર સહિત 12 IFoS અધિકારીઓની બદલીની સૂચિત સૂચિમાં સુધારો કર્યો હતો. સુધારેલી યાદીમાં એક ઉમેરો રાહુલની નવી પોસ્ટિંગ હતી.

આ પછી વન મંત્રી, મુખ્ય સચિવ અને પ્રિન્સિપલ સેક્રેટરી દ્વારા એક નોટ મોકલવામાં આવી હતી. તેની અંદર રાહુલ સામે ચાલી રહેલી શિસ્તની કાર્યવાહી, CBI તપાસ અને કોર્બેટની અંદર પાખરો ટાઈગર સફારી માટે ગેરકાયદેસર કાપણી અને બાંધકામ અંગેના સુપ્રીમ કોર્ટમાં સંબંધિત કેસને ધ્યાનમાં રાખીને, તેમની નિમણૂક પર પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી હતી.

જ્યારે, CM ધામીએ આ મામલે સીધો હસ્તક્ષેપ કર્યો અને હાથથી લખેલી નોંધમાં કહ્યું, ‘રાજાજી ડિરેક્ટરના પદ પર CCF રાહુલની નિમણૂકની દરખાસ્ત કરવામાં આવી હતી અને તેને મંજૂરી આપવામાં આવી છે. તેથી ઓર્ડર બહાર પાડો.’

એક જ દિવસમાં સરકારે ‘જાહેર હિતમાં’ નિમણૂકનો આદેશ બહાર પાડ્યો હતો.

error: Content is protected !!