fbpx

સુપ્રીમ કોર્ટના આદેશમાં EDએ બતાવી બે ભૂલો, વર્ષ સુધી અટકી તપાસ, જાણો આગળ શું થયુ

Spread the love

ED સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં, સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્વીકાર્યું કે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો પણ ભૂલ કરી શકે છે. પોતાની ભૂલ સ્વીકારવામાં કોઈ વાંધો નથી. બેન્ચે કહ્યું કે, અદાલતોએ તેમના આદેશોમાં ભૂલો સ્વીકારવામાં અને કેસ બંધ થયા પછી પણ તેને સુધારવામાં શરમાવું જોઈએ નહીં. જસ્ટિસ કૃષ્ણ મુરારી અને જસ્ટિસ સંજય કુમાર દ્વારા પસાર કરાયેલા વર્ષો જૂના આદેશમાં એક નહીં પરંતુ બે ખામીઓ જોવા મળી હતી, જેને હવે સુધારવામાં આવી છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આદેશમાં પહેલી ખામી એ હતી કે બેન્ચે હાઈકોર્ટમાં જઈને પોતાની ફરિયાદો ઉઠાવવાનું કહ્યું હતું. સાથે જ વચગાળાનું રક્ષણ પણ આપવામાં આવ્યું હતું, જે હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ રહે ત્યાં સુધી ચાલુ રહેશે. સામાન્ય રીતે, જ્યાં સુધી કોઈ એક પક્ષ હાઈકોર્ટમાં ન પહોંચે ત્યાં સુધી કેસમાં સુપ્રીમ કોર્ટનું રક્ષણ ચાલુ રહે છે. સુપ્રીમ કોર્ટ વચગાળાના રક્ષણ અંગેનો નિર્ણય હાઈકોર્ટ પર છોડી દે છે. આ આદેશમાં બીજી ભૂલ એ હતી કે ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ અને તેના અધિકારીઓને સુરક્ષા આપવાનો અને લોનની વસૂલાત અને મની લોન્ડરિંગના કેસમાં EDની કાર્યવાહી પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ તપાસ એજન્સીને સુનાવણીની તક આપ્યા વિના પસાર કરવામાં આવ્યો હતો, EDએ આ આદેશમાં સુધારો કરવાની માંગ કરી હતી.

જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ અરવિંદ કુમારની બેન્ચે મંગળવારે બંને ભૂલોને સ્વીકારી હતી. સુધારેલા આદેશમાં, કોર્ટે કહ્યું કે જ્યાં સુધી પક્ષકારો હાઇકોર્ટનો સંપર્ક ન કરે ત્યાં સુધી વસૂલાતની કાર્યવાહીમાં વચગાળાનું રક્ષણ ચાલુ રહેશે અને તે પછી વચગાળાના આદેશ પર હાઇકોર્ટે નિર્ણય લેવાનો રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘છેલ્લો ઉપાય અદાલત હોવાને કારણે, અમે અમારા આદેશોમાં કોઈ પણ ભૂલ સ્વીકારવામાં સંકોચ નહીં કરીએ અને આવી ભૂલોને સુધારવા માટે તૈયાર રહીશું.’

EDની અરજી સ્વીકારીને બેન્ચે ગયા વર્ષે 4 જુલાઈના રોજ મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત આદેશનો ભાગ પાછો ખેંચી લીધો હતો. V.K. જૈન વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરીને બેન્ચે કહ્યું, ‘આપણી કાનૂની વ્યવસ્થા ન્યાયાધીશોની અયોગ્યતાને સ્વીકારે છે. જો કે આ અવલોકન જિલ્લા ન્યાયતંત્રના ન્યાયાધીશોના સંદર્ભમાં કરવામાં આવ્યું હતું, તે ન્યાયિક પદાનુક્રમના ઉચ્ચ સ્તરોને સમાન રીતે લાગુ પડશે. રેકોર્ડની અદાલતો તરીકે, તે જરૂરી છે કે બંધારણીય અદાલતો તેમના ન્યાયિક આદેશોમાં થયેલી ભૂલોને ઓળખે અને જ્યારે તેમ કરવાનું કહેવામાં આવે ત્યારે તેને સુધારે.’

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg
error: Content is protected !!