fbpx

શાહરૂખના દીકરા આર્યન ખાનને જેલ ભેગો કરનાર સમીર વાનખેડેની રાજકારણમાં એન્ટ્રી

Spread the love

બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને 3 ઓક્ટોબર 2021ના દિવસે જેલ ભેગો કરીને ચર્ચામાં આવેલા NCBના પૂર્વ અધિકારી સમીર વાનખેડે રાજકારણની નવી ઇનિંગ શરૂ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળેલી વિગત મુજબ સમીર વાનખેડે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનામાં જોડાઇ શકે છે અને તેમને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ધારાવીની બેઠક પરથી ટિકિટ મળી શકે છે.

44 વર્ષના સમીર વાનખેડે અત્યારે IRS અધિકારી છે. 2021માં જ્યારે શાહરૂખ ખાનના પુત્રની ધરપકડ કરવામાં આવી ત્યારે એક પ્રમાણિક અધિકારી તરીકે તેમની ઇમેજ હતી, જો કે એ પછી તેમની પર 25 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો. કોર્ટમાં કેસ પણ થયો હતો.મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી છે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થવાના છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!