fbpx

રાજભા ગઢવીએ કહ્યું- ડાંગમાં આદિવાસીઓ લૂંટી લે છે, કપડા પણ છોડતા નથી, પછી…

Spread the love

ગુજરાતના લોક કલાકાર અને લોક સાહિત્યકાર રાજભા ગઢવીના એક નિવેદનને કારણે આદિવાસી સમાજ ગુસ્સે ભરાયો છે.સૌરાષ્ટ્રના એક ડાયરામાં ગઢવીએ કહ્યું કે, હતું કે, ગુજરાતના આહવા ડાંગના જંગલોમાં તમને લૂંટી લે અને કપડા પણ ન રહેવા દે, પણ ગીરમા તમે ભુલો પડો તો લોકો તમને જમાડે.

ગઢવીના નિવેદનથી ગુસ્સે ભરાયેલા ભાજપના આદિવાસી મંત્રી કુંવરજી હળપતિએ કહ્યું કે, આવનારા દિવસોમાં તમારા ડાયરા અને મંડપો તોડી નાંખતા લોકો અચકાશે નહીં. વલસાડના ભાજપના સાંસદ ધવલ પટેલે પણ કહ્યુ કે, રાજભા ગઢવી આદિવાસી સમાજની માફી માંગે.

વાત વણસી જતી રાજભાએ એક વીડિયો વાયરલ કરીને આદિવાસી સમાજની માંફી માંગતા કહ્યું કે, હું પણ ગીરનો વનબંધું છું, એક વનબંધુ બીજા વનબંધુ વિશે ખરાબ કેવી રીતે બોલી શકે. છતા જો આદિવાસી સમાજની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!