fbpx

ધર્મગુરુઓ RSSના વડા મોહન ભાગવતની પાછળ કેમ પડી ગયા છે?

Spread the love

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે, રામ મંદિરના નિર્માણ પછી કેટલાંક લોકો મંદિર-મસ્જિદનો મુદ્દો ઉઠાવીને પોતાની જાતને હિંદુ નેતા સમજવામા માંડ્યા છે એ કોઇ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.

આ નિવેદન પછી ધર્મગુરુઓ મોહન ભાગવતની પાછળ પડી ગયા છે. રામભદ્રાચાર્યએ કહ્યું કે, આ સંઘ પ્રમુખનું અંગત નિવેદન છે, પરંતુ તેમણે યોગ્ય વાત કરી નથી. જ્યાં જયાં મંદિરો કે અવશેષો મળશે ત્યાં અમે મેળવીને રહીશું. ભાગવત સંઘના પ્રમુખ છે અમારા નથી.

સ્વામી અવિમુકતેશ્નરા નંદે કહ્યું કે, ભાગવત રાજકીય અનુકળતા મુજબ નિવેદનો આપે છે. ભારતમાં જેટલા હિંદુ મંદિરોને નુકશાન થયું છે તેની યાદી બનાવીને ASI સર્વે કરાવવો જોઇએ.

અખિલ ભારતીય સંત સમતિના મહાસચિવ સ્વામી જિતેન્દ્રનંદ સરસ્વતીએ કહ્યું કે, ધર્મનો મુદ્દો ઉભો થાય તો એ અંગે નિર્ણય લેવાનું કામ ધાર્મિક ગુરુઓનું છે.

error: Content is protected !!