fbpx

મહા કુંભ જવા GSRTCની 5 બસ નીકળશે, જાણી લો કયા શહેરથી કેટલા રૂપિયામાં…

Spread the love

મહાકુંભમાં ગુજરાતીથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જઇ રહ્યા છે ત્યારે તાજેતરમા જ ગુજરાત સરકારે એક વોલ્વો બસની સેવા શરૂ કરી હતી. જેમાં 4 દિવસના પેકેડ માટે 8100 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ શ્રધ્ધાળુઓના ધસારાના ધ્યાનમાં રાખીને સરકારે વધારાની 5 નવી બસો અને જુદા જુદા શહેરથી કરવાની જાહેરાત કરી છે.

અત્યારે અમદાવાદથી એક બસ જાય છે તેમાં એક વધુ બસનો ઉમેરો કરાયો એટલે કે અમદાવાદથી રોજ હવે 2 બસ ઉપડશે જ્યારે સુરતથી દરરોજ 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસ ઉપડશે. અમદાવાદમાં ગીતા મંદિરથી બસ ઉપડશે જ્યારે બાકીના શહેરોમાં એસ ટી બસ સ્ટેશનથી ઉપડશે.

 અમદાવાદથી 7800 રૂપિયા, સુરતથી 8300, વડોદરાથી 8200  અને રાજકોટથી 8800 રૂપિયા બસ ભાડું લાગશે. પ્રયાગરાજમા રહેવાની વ્યવસ્થા શ્રધ્ધાળુઓએ જાતે કરવાની રહેશે.

error: Content is protected !!