
તેલંગણામાં બિયરના ભાવમાં 15 ટકાના વધારાને લઈને હોબાળો મચી ગયો છે. આ મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની ભારતીય રાષ્ટ્ર સમિતિ અથવા BRS એ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. બીઆરએસના પ્રવક્તા શ્રવણ દાસોજુએ ગુરુવારે કહ્યું હતું કે તેલંગાણાના લોકો રાજ્ય સરકારના આ નિર્ણયથી ‘ઘણા નિરાશ’ છે. કારણ કે આનાથી ગ્રાહકો પર ‘નાણાકીય બોજ’ પડશે. તેમણે કહ્યું કે સરકારનું આ પગલું ‘મૂડીવાદીઓ’ સાથેની તેમની મિલીભગતનો પર્દાફાશ કરે છે.

ભાવ વધારો એ કોંગ્રેસના મતદારો સાથે વિશ્વાસઘાત
મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીને લખેલા પત્રમાં, શ્રવણે એમ પણ કહ્યું હતું કે બીયરના ભાવમાં વધારો એ લોકો સાથે “સ્પષ્ટ વિશ્વાસઘાત” છે જેઓ ચૂંટણી પહેલા કહેવાતા સિદ્ધાંતોના વાણી-વર્તનમાં માનતા હતા અને કોંગ્રેસને મત આપતા હતા. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્ય સરકારની કાર્યવાહી તેના દંભ, રાજકીય તકવાદ અને મૂડીવાદીઓ સાથેના વ્યવહારની પોલ ખોલે છે. બીઆરએસ નેતાએ પત્રમાં લખ્યું છે કે, ‘ તેલંગાણાના લોકો તમારી સરકાર દ્વારા બીયરના ભાવમાં 15 ટકાનો વધારો કરવાથી ખૂબ જ નિરાશ થયા છે.’ આ ફક્ત ગ્રાહકો પર આર્થિક બોજ નથી પણ એ લોકો સાથે વિશ્વાસઘાત છે જેમને ચૂંટણી પહેલા તમારા કહેવાતા સિદ્ધાંતોમાં વિશ્વાસ કર્યો અને તમને મત આપનારા પણ છે.
કિંમતોમાં 15 ટકાનો વધારો કરવાની આપી મંજૂરી
જણાવી દઈએ કે તેલંગાણા સરકારે 11 ફેબ્રુઆરીના રોજ તેલંગાણા બેવરેજીસ કોર્પોરેશન લિમિટેડ (TGBCL)ને બિયરના ભાવમાં 15 ટકાનો વધારો કરવાની મંજૂરી આપી હતી. આ નિર્ણય બ્રુઅર્સ એસોસિએશન ઑફ ઈન્ડિયા (BAI)ની વિનંતીને પગલે લેવામાં આવ્યો હતો અને આ બધું યુનાઈટેડ બ્રુઅરીઝ લિમિટેડ (UBL) દ્વારા સપ્લાય બંધ કર્યા પછી લેવામાં આવ્યો હતો. શ્રવણે આક્ષેપ કર્યો હતો કે થોડા અઠવાડિયા પહેલા રાજ્ય સરકારે વચન આપ્યું હતું કે તે દારૂની કંપનીઓના દબાણ હેઠળ ભાવમાં વધારો કરશે નહીં અને લિકર લોબી રાજ્યની નીતિઓને પ્રભાવિત કરશે નહીં, પરંતુ હવે એવું લાગે છે કે લિકર લોબીએ સરકારને તેની શરતો પર નમાવી દીધી છે.

‘શું સરકારે બિયર ઉત્પાદકો સાથે સાંઠગાંઠ કરી હતી?’
શ્રવણ દાસજુએ વધુમાં જણાવ્યું હતું કે આ ભાવ વધારો ‘રેવંત રેડ્ડી ટેક્સ (RR ટેક્સ)’ના રૂપમાં એક ષડયંત્ર હોય તેમ લાગે છે, જે સામાન્ય માણસ પર લાદીને ખાનગી બીયર ઉત્પાદકો અને મૂડીવાદીઓના ફાયદા માટે લાગુ કરવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે યુનાઈટેડ બ્રુઅરીઝ લિમિટેડે TGBCLને બિયરનો સપ્લાય બંધ કરી દીધા પછી તરત જ ભાવમાં થયેલા વધારા એ તે વાતે શંકા પેદા કરી છે તે શું સરકારે બિયર ઉત્પાદકો સાથે મિલીભગત કરી છે.શ્રવણે સરકાર પાસે આ વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે.