
પ્રાંતિજ ના તાજપુર ખાતે ગળદાપાટુ નો માર મારી જાતી વિષયક શબ્દો બોલતા પોલીસ ફરિયાદ થઈ
– પાંચ વિરૂધ્ધ નામજોગ તથા બીજા પંદરેક માણસોના ટોળા વિરૂધ્ધ ફરિયાદ થઈ
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના તાજપુર ખાતે ઝઘડાની અદાવત રાખી ધરે આવી ગળદાપાટુ નો માર મારી જાતિ વિષયક અપમાન જનક શબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પાંચ વિરૂધ્ધ નામજોગ તથા બીજા પંદરેક માણસોના ટોળા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
<script async src=”https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-5564624652773980″ crossorigin=”anonymous”></script> <ins class=”adsbygoogle” style=”display:block; text-align:center;” data-ad-layout=”in-article” data-ad-format=”fluid” data-ad-client=”ca-pub-5564624652773980″ data-ad-slot=”2823482180″></ins> <script> (adsbygoogle = window.adsbygoogle || []).push({}); </script>
પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના તાજપુર ખાતે એકસંપ થઈ ગેરકાયદેસર રીતે મંડળી બનાવી પોતાનો સમાન ઈરાદો પાડપાડવા જગદીશ કુમાર કાલીદાસ ના દિકરા વિશાલ ને પરેશભાઇ શંકરભાઇ રાવળ ના એ ઈકોગાડી ઉપર નાખી લોખંડ ના સમસ્યાથી માર મારેલ હોય તે ઝધડાની અદાવત રાખી જગદીશ કુમાર ના ધરે આવી તમારા છોકરાને બહાર કાઢો અમારે તેને મારવાનો છે ઢેઢાઓ તમે કેમ લાબા વાળ રાખો છો અને કેમ બોડી બનાવોછો ચરબી ચડી ગયેલ છે આજે તમે બહાર નિકળો એકને પણ નિકળવા દઇશુ નહી અને તમને કોઈ ને જીવતા રહેવા દઇશુ નહી તેવી ધમકીઓ આપી જાતિવિષય અપમાન જનક શબ્દો બોલી જેમ ફાવે તેમ મા-બેન સામી ગાળો બોલી ગીતાબેન ને તેથા વિશાલને ગળદાપાટુ નો માર મારી તેમને જાતિવિષયક અપમાની જનક શબ્દો બોલી અમારી સામે બોલશો તો કોઇને પણ જીવતા રહેવા દઇશુ નહી તેવી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા અને સાબરકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ ના જાહેરનામ નો ભંગ કરી ગુનો કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા જગદીશ કુમાર કાલીદાસ ડાબી (વણકર) રહે.તાજપુર વણકર ફળીયુ વેરાઇ માતાના મંદિર પાસે તા.પ્રાંતિજ જિ. સાબરકાંઠા તો મુળ રહે પંચશીલ સોસાયટી પી.ટી.સી કોલેજ ની બાજુમા ગણેશપુર પાલનપુર દ્રારા પરેશભાઇ શંકરભાઇ રાવળ , દશરથભાઇ અંબાલાલ રાવળ , રાજુભાઇ ભલાભાઈ રાવળ , અમરતભાઇ કેશાભાઇ રાવળ , મેહુલભાઇ ગાભાભાઇ રાવળ તથા બીજા પંદરેક માણસોનુ ટોળુ તમામે-તમામ રહે. તાજપુર તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૧૮૯(૨),૧૯૦,૧૯૧,૧૯૧(૨), ૧૧૫,૩૫૧(૩),૨૯૬(બી),તથા અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિ. સુધારણા ૨૦૧૫ ની કલમ ૩(૧)(આર)(એસ),૩(૨)(૫-અ) મુજબ તથા જી.પી.એકટ કલમ-૧ મુજબ ગુનોનોંધી આગળ ની તપાસ નાયબ પોલીસ અધિક્ષક કુલદીપ કુમાર નાયી SC/ST સેલ હિંમતનગર સાબરકાંઠા દ્રારા તપાસ હાથ ધરવામા આવી છે
જીલ રાવલ સાબરકાંઠા