

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક ઘરમાં થીજી ગયેલા સિમેન્ટથી ભરેલા પ્લાસ્ટિકના ડ્રમમાંથી મૃત શરીરના ભાગો મળી આવ્યાના સમાચારે હંગામો મચાવી દીધો હતો. મર્ચન્ટ નેવીમાં કામ કરતા સૌરભ રાજપૂતની હત્યાના કેસમાં, બીજા કોઈની નહીં પરંતુ, તેની પત્ની અને તેના બોયફ્રેન્ડની ધરપકડ કરવામાં આવી હતી.
સૌરભની પત્નીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને તેની હત્યા કરી દીધી. પછી શરીરને ટુકડાઓમાં કાપીને પ્લાસ્ટિકના ડ્રમમાં મૂકવામાં આવ્યું અને પછી સિમેન્ટ ઓગાળીને તેને ડ્રમમાં ભરવામાં આવ્યું. પોલીસે બંનેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી, ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. બે કલાકની મહેનત પછી પણ ડ્રમ ખોલી શકાયો નહીં, તેથી પોલીસે ડ્રમને પોતાના કબજામાં લીધો અને તેને પોસ્ટમોર્ટમ ગૃહમાં મોકલી દીધો જ્યાં ડ્રમ કાપીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિમેન્ટ મજબૂત હોવાથી મૃતદેહ થીજી ગયો હતો. આ કાર્યવાહી દરમિયાન, મૃતકના ઘરની બહાર લોકોની ભીડ જમા થઇ ગઈ હતી.

ખરેખર, આ મામલો મેરઠના બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન વિસ્તારના ઇન્દિરાનગરનો છે, જ્યાં મર્ચન્ટ નેવીમાં કામ કરતો સૌરભ રાજપૂત તેની પત્ની મુસ્કાન રસ્તોગી અને 5 વર્ષની પુત્રી સાથે રહેતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, હાલમાં તે લંડનમાં પોસ્ટેડ હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સૌરભ થોડા દિવસો પહેલા લંડનથી મેરઠ આવ્યો હતો. સૌરવ કુમારે 2016માં પ્રેમ લગ્ન કર્યા હતા અને તે પછી તેનો પરિવાર સાથે વિવાદ ચાલી રહ્યો હતો. ત્રણ વર્ષ પહેલાં, સૌરભે તેની પત્ની મુસ્કાન સાથે ઇન્દિરાનગરમાં ભાડાના મકાનમાં રહેવાનું શરૂ કર્યું. તેમને એક 5 વર્ષની પુત્રી પણ હોવાનું કહેવાય છે, જે બીજા ધોરણમાં ભણે છે.

સૌરભ 4 માર્ચે મેરઠ આવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે 10 દિવસ પહેલા મુસ્કાને પડોશના લોકોને કહ્યું હતું કે, તે તેના પતિ સાથે હિમાચલ પ્રદેશ જઈ રહી છે અને ત્યારપછી ઘરના દરવાજાને તાળું મારીને બહાર નીકળી ગઈ હતી. તે પછી કોઈએ મુસ્કાન કે સૌરભને જોયા નહીં. આ દરમિયાન, મુસ્કાને તેની માતાને આખી ઘટના જણાવી કે, તેણે તેના પ્રેમી સાથે મળીને સૌરભની હત્યા કેવી રીતે કરી હતી. આ પછી, મુસ્કાનની માતા પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસને આખી ઘટના જણાવી.

જ્યારે પોલીસે મુસ્કાનને કસ્ટડીમાં લીધી અને તેની પૂછપરછ કરી, ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. પત્ની મુસ્કાને તેના પ્રેમી સાહિલ સાથે મળીને સૌરભની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. તેના મૃતદેહને પ્લાસ્ટિકના ડ્રમમાં રાખવામાં આવ્યો હતો અને પછી સિમેન્ટનું દ્રાવણ તૈયાર કરીને ડ્રમમાં રેડવામાં આવ્યું હતું. જેના કારણે મૃતદેહ અંદર થીજી ગયો હતો અને લોકોને તેની ખબર ન પડે તે માટે તેને ઘરની અંદર છુપાવી દેવામાં આવ્યો હતો.
પોલીસે મુસ્કાનના પ્રેમી સાહિલને પણ કસ્ટડીમાં લીધો છે અને બંનેને ઘટનાસ્થળે લઈ આવ્યા છે. બધા લગભગ 30 મિનિટ સુધી અંદર રહ્યા, ત્યારપછી પોલીસ મુસ્કાન અને તેના પ્રેમી સાહિલને પોલીસ સ્ટેશન લઈ ગઈ. 2 કલાક સુધી પ્રયાસ કરવા છતાં, મૃતદેહ ડ્રમમાંથી બહાર કાઢી શકાયો નહીં. અંતે, પોલીસે ડ્રમને મૃતદેહ સાથે પોસ્ટમોર્ટમ ગૃહમાં મોકલી આપ્યો અને ઘણી મહેનત પછી, ડ્રમ કાપીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. જેણે પણ આ આખી વાત સાંભળી તે સ્તબ્ધ થઈ ગયો.

આ કેસમાં મેરઠના SP સિટી આયુષ વિક્રમે જણાવ્યું હતું કે, મોડી સાંજે બ્રહ્મપુરી પોલીસને ઇન્દિરા નગરમાં હત્યાની માહિતી મળી હતી. માહિતીના આધારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ અને પૂછપરછ કરી હતી. જાણવા મળ્યું હતું કે, મૃતક સૌરભ રાજપૂત, જે મર્ચન્ટ નેવીમાં કામ કરતો હતો. તે 4 તારીખે તેના ઘરે આવ્યો. ત્યારથી તેમને જોયા નથી.
શંકાના આધારે પોલીસે તેની પત્ની મુસ્કાન અને મુસ્કાનના પ્રેમી સાહિલને પૂછપરછ માટે બોલાવ્યા અને પૂછપરછ દરમિયાન તેમણે પોતાનો ગુનો કબૂલ કર્યો અને જણાવ્યું કે 4 તારીખે સાહિલે મુસ્કાન સાથે મળીને સૌરભની ચાકુ વડે હત્યા કરી હતી. હત્યા પછી, તેઓએ શરીરના ટુકડા કરી, તેને ડ્રમમાં મૂકી અને તેમાં સિમેન્ટનું દ્રાવણ ભરી દીધું. પોલીસે મૃતદેહ કબજે કર્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં મોકલી દેવામાં આવ્યો છે. સાહિલ અને મુસ્કાનની ધરપકડ કરવામાં આવી છે. પરિવારની ફરિયાદના આધારે, સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.