fbpx

વક્‍ફ અધિનિયમનો વિરોધ કરતા મુસ્લિમોને વિશ્વ હિન્દુ પરિષદે આપી આ સલાહ

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
વક્‍ફ અધિનિયમનો વિરોધ કરતા મુસ્લિમોને વિશ્વ હિન્દુ પરિષદે આપી આ સલાહ

વક્‍ફ બોર્ડ અધિનિયમ પસાર થયા પછીથી કેટલાક મુસ્લિમ કટ્ટરપંથી નેતા અને સંસ્થાઓ દેશના મુસ્લિમો ઉશ્કેરવાની, ભડકાવાની અને હિંસક બનાવવાની સતત કોશિષમાં છે. ખોટી માહિતી ફેલાવીને દૂષપ્રચાર કરતી આ ટોળકીમાં હવે કેટલાક કહેવાતા મુસ્લિમ બુદ્ધિજિવીઓ પણ જોડાઈ ગયા છે જેમણે તાજેતરમાં દેશના મુસ્લિમ સાંસદોને એક પત્ર લખ્યો છે.

વિશ્વ હિન્દુ પરિષદના અખિલ ભારતીય પ્રચાર પ્રસાર પ્રમુખ વિજય શંકર તિવારીએ આ પત્ર પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આ પત્ર ખોટા દૂષ્પ્રચાર દ્વારા મુસ્લિમ સમાજને હિંસા અને દેશ વિરોધી પ્રવૃત્તિ માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ છે અને આ રાજ્યવ્યવસ્થા અને બંધારણનું સીધુ ઉલ્લંઘન છે. આ પત્ર દ્વારા તેમના ‘મુસ્લિમ ઈન્ડિયા’ બનાવવા ના સપનાનું પણ પર્દાફાશ થયો છે, એવું જ સપનું કટ્ટરપંથી નેતા સૈયદ શહાબુદ્દીને પણ જોયું હતું.

આ પત્રમાં અલ્પસંખ્યકોના હકોની વાત છે પરંતુ તેમાં માત્ર મુસ્લિમોનું જ નામ લેવામાં આવ્યું છે. ‘મુસ્લિમ સમાજનું ગળું ઘૂંટાઈ રહ્યું  છે’ અને ‘મુસ્લિમોના ગૌરવપૂર્ણ અસ્તિત્વ માટે સંઘર્ષ’ કરવાની વાત કહીને હિંસા માટે ઉશ્કેરવાનો પ્રયાસ છે. આ પત્રમાં મુસ્લિમોની સામૂહિક અવાજ ઊંચો કરવા અને સંસદમાં તથા બહાર પ્રદર્શન અને બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી છે, જેથી ‘દેશ-વિદેશના મીડિયા’નું ધ્યાન ખેંચી શકાય.

વિજય શંકર તિવારીએ કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે આ પત્ર પર માત્ર કટ્ટરપંથી નેતાઓ કે જિહાદી સંગઠનોના જ નહિ પરંતુ ઘણા એવા લોકોના પણ હસ્તાક્ષર છે જેમણે ભારતના બંધારણ પર શપથ લીધા છે જેમ કે ધારાસભ્યો, સાંસદો, IAS-IPS અધિકારીઓ, લશ્કરી અધિકારીઓ, અલ્પસંખ્યક આયોગના ચેરમેન, યુનિવર્સિટીઓના કુલપતિઓ, વક્‍ફ બોર્ડના અધિકારીઓ, વરિષ્ઠ વકીલ અને પત્રકારો. આ માટે તેમના માટે ધર્મ દેશથી ઊંચો છે અને તે માટે તેઓ કોઈ પણ હદે જવા તૈયાર છે. તેમને ખબર છે કે જ્યારે મુસ્લિમ કટ્ટરપંથી રસ્તા પર ઉતરે છે ત્યારે હિંસા અને તોડફોડ થાય છે છતાં પણ તેઓ તેને ઉશ્કેરી રહ્યા છે.

વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું છે કે ધર્મના આધાર પર ભારતના બીજું વિભાજન અને ‘મુસ્લિમ ઈન્ડિયા’ બનાવવાનો તેમનો દીવાસ્વપ્ન ક્યારેય પૂર્ણ નહીં થાય. પરંતુ જો આ ઉશ્કેરણાના કારણે દેશમાં ક્યાંક પણ હિંસક ઉપદ્રવ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી આ પત્રના તમામ હસ્તાક્ષરદારોની હશે અને તેઓ દેશના સમક્ષ ગુનેગાર તરીકે ઊભા રહેશે.

વિહિપે કહ્યું છે કે યાદ રાખવું જોઈએ આ કથિત મુસ્લિમો સિવાય દેશના અન્ય તમામ અલ્પસંખ્યકો આ નવા કાયદાથી પ્રસન્ન છે કારણ કે વધારે તકલીફ વક્‍ફ બોર્ડ અને તેના દ્વારા થતા અવૈધ કબજાઓથી છે.

Photo-(2)-copy

ભારત એક સર્વભૌમ, પંથનિરપેક્ષ અને લોકશાહી ગણરાજ્ય છે, જેમાં બંધારણની આત્મા છે. કોઈ પણ સંસ્થાએ કહેવું કે તેમના માટે ધર્મ બંધારણથી ઊંચો છે, એ દેશની એકતા અને અખંડિતતા માટે જોખમ છે તેમજ લોકશાહી અને ન્યાય વ્યવસ્થાનો અપમાન છે.

અમે કેન્દ્ર સરકાર અને ન્યાયપાલિકાને આ પત્ર મામલાને ગંભીરતાથી લેવાની અપેક્ષા રાખીએ છીએ કારણ કે આવી જ માનસિકતાએ ભારતનું પ્રથમ વિભાજન કરાવ્યું હતું. બંધારણથી ઉપર ધર્મને માનનારી વિચારો દેશમાં આંતરિક સુરક્ષા અને સામાજિક સુમેળ માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે.

વિશ્વ હિન્દુ પરિષદ પુષ્ટિ કરી કે – બંધારણ સર્વોપરી છે, અને કોઈપણ ધાર્મિક કે જાતિવાદી સંસ્થાને બંધારણની મર્યાદા લાંઘવાની છૂટ નથી મળવી જોઈએ.

error: Content is protected !!