fbpx

ભાડાના મકાનમાં રહેતા મજૂરને આવકવેરા વિભાગે રૂ. 314 કરોડની નોટિસ મોકલી

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
ભાડાના મકાનમાં રહેતા મજૂરને આવકવેરા વિભાગે રૂ. 314 કરોડની નોટિસ મોકલી

આવકવેરા વિભાગ તરફથી એક મજૂરને 314 કરોડ 79 લાખ 87 હજાર 883 રૂપિયાની નોટિસ મળ્યા પછી બેતુલ જિલ્લામાં હડકંપ મચી ગયો છે. ભાડાના નાના મકાનમાં રહેતા મજૂર માટે આ નોટિસ કોઈ આઘાતથી ઓછી નથી. નોટિસ જોતાં જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ, તેમની પત્નીની તબિયત લથડી ગઈ અને પરિવારમાં સ્તબ્ધ થઇ ગયો.

Labourer, Income Tax Notice

હકીકતમાં, આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મહારાષ્ટ્ર આવકવેરા વિભાગે બેતુલના મુલતાઈ નગરપાલિકા પાસેથી આંબેડકર વોર્ડના રહેવાસી ચંદ્રશેખર પંડિત રાવ કોહાડની સ્થાવર મિલકત વિશે માહિતી માંગી. તપાસમાં જાણવા મળ્યું કે, જે જમીન વિશે જાણકારી માંગી હતી તે ચંદ્રશેખરના નામે નહીં પરંતુ આમલાના દેવથાણના રહેવાસી રાધેલાલ કિરાડના પુત્ર મનોહર હરકચંદના નામે નોંધાયેલી હતી. નગરપાલિકાએ આ જવાબ આવકવેરા વિભાગને મોકલી આપ્યો છે.

ચંદ્રશેખરે જણાવ્યું કે તે 200-300 રૂપિયાના દૈનિક વેતનથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ચાર વર્ષ પહેલાં, તેમણે નાગપુરની એક બેંકમાં ખાતું ખોલાવ્યું હતું, જેમાં તેઓ થોડી રકમ જમા કરાવતા હતા. બેંક એજન્ટે તેનો મોબાઇલ નંબર લીધો, પરંતુ તે ખાતા સાથે લિંક નહોતો. તેને ખાતાની ગતિવિધિઓની કોઈ જાણકારી નહોતી.

Labourer, Income Tax Notice

નોટિસ અનુસાર, આ ટેક્સ લગભગ 3 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો પર આધારિત હોઈ શકે છે. આ સમાચારને કારણે ચંદ્રશેખરની તબિયત બગડી ગઈ અને તેમની નાગપુરમાં સારવાર ચાલી રહી છે.

મ્યુનિસિપલ કર્મચારીઓએ એક અઠવાડિયા સુધી ચંદ્રશેખરની શોધ કરી, પરંતુ તેમની મિલકતનો કોઈ રેકોર્ડ મળ્યો નહીં.

ઇન્ચાર્જ CMO GR દેશમુખે જણાવ્યું હતું કે, ‘આંબેડકર વોર્ડના રહેવાસી ચંદ્રશેખર પંડિત રાવ કોહાડની સ્થાવર મિલકત વિશે માહિતી માંગવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, આંબેડકર વોર્ડમાં તેમના નામે કોઈ મિલકત નથી. આ જવાબ મહારાષ્ટ્ર આવકવેરા વિભાગને મોકલી આપવામાં આવ્યો છે.’

Labourer, Income Tax Notice

આ દરમિયાન, ચંદ્રશેખર પંડિત રાવ કોહાડે કહ્યું, ‘નોટિસ મળ્યા પછી મારું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે મારી પાસેથી આટલી મોટી રકમનો ટેક્સ માંગવામાં આવશે. આ કારણે, હું હેરાનગતિનો સામનો કરી રહ્યો છું. મારી પત્નીની તબિયત બગડી ગઈ છે અને ઘરમાં ટેન્શનનું વાતાવરણ છે. હું હૃદયરોગનો દર્દી છું, મારી હાલત પણ વધુ ખરાબ થઈ ગઈ છે.’

બીજી તરફ, ચંદ્રશેખર હવે મહારાષ્ટ્ર આવકવેરા વિભાગનો સંપર્ક કરવાનો અને તેમના નામે આટલો મોટો કર કેવી રીતે નીકળ્યો તે જાણવા માટે કાનૂની સલાહ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મામલો હજુ પણ તપાસનો વિષય બની રહ્યો છે.

error: Content is protected !!