fbpx

RBIએ રેપોરેટ 0.25 ટકા ઘટાડ્યો તો તમને શું ફાયદો થશે?

Spread the love
RBIએ રેપોરેટ 0.25 ટકા ઘટાડ્યો તો તમને શું ફાયદો થશે?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આજે મોનીટરી પોલીસીની બેઠક મળી હતી જેમા ગર્વનર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 0-.25 બેસીસ પોઇન્ટ ઘટાડવાની જાહેરાત કરી. મતલબ કે વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વ્યાજ દર 6.25 ટકા હતો જે હવે 6 ટકા થઇ ગયો છે.

આ પહેલા ફેબ્રુઆરી 2025માં પણ RBIએ રેપોરેટમાં 0.25 બેસીસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. મતલબ કે 4 મહિનામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજ દરમાં 0.50 ટકાનો ઘટાડો કરી દીધો છે. વ્યાજ દર ઘટવાને કારણે હોમ લોન સસ્તી થશે અને લોકોને EMIમાં ફાયદો થશે. આ ઉપરાંત પર્સનલ લોન, એજ્યુકેશન લોનમાં પણ રાહત થશે.

 અર્થતંત્ર ધીમુ પડી રહ્યું હોવાથી એવી ધારણા હતી જ કે  RBI વ્યાજ દરમાં ઘટાડો કરશે.

error: Content is protected !!