fbpx

ટેક્સ પેયરનો જીવ એ જીવ નથી? પાટીલે ચુપચાપ સાંભળી કેમ લીધું?

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
ટેક્સ પેયરનો જીવ એ જીવ નથી? પાટીલે ચુપચાપ સાંભળી કેમ લીધું?

પહેલગામમાં મોતને ભેટેલા સુરતના મોટા વરાછાના શૈલેષ કળથિયાની અંતિમ યાત્રા ગુરુવારે નિકળી ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ હાજર રહ્યા હતા. શૈલેષ કળથિયાના પત્ની શીતલ બેને પાટીલ સમક્ષ આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે,ત્યાં કોઇ સુવિધા નહી, કોઇ આર્મી નહી, કોઇ પોલીસ નહીં, કોઇ ફર્સ્ટએઇડ નહીં. જ્યારે તમારા મોટા મોટા નેતાઓ આવે, VIP આવે ત્યારે પાછળ કેટલીય ગાડીઓ હોય અને પાછું ઉપર હેલિકોપ્ટર ઉડતું હોય. આ બધું કોના પૈસાથી ચાલે છે? ટેક્સ પેયરના ખર્ચે જ ચાલે છે ને.

તો તમારો જીવએ જીવ અને સામાન્ય લોકોનો જીવ એ જીવ નથી? આપણી સરકારને પોતાની જ સુવિધા રાખવી હોય તો આજ પછી આ સરકારને કોઇ વોટ જ ન કરતા. શીતલબેને કહ્યું કે, મારા સંતાનાનો ભવિષ્યનું શું? મને ન્યાય આપો. પાટીલે ચુપચાપ મહિલાની વ્યથા સાંભળવી પડી હતી.

error: Content is protected !!