fbpx

અંબાલાલની આગાહી, 30 એપ્રિલથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે

Spread the love
અંબાલાલની આગાહી, 30 એપ્રિલથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે

આગામી દિવસોમાં આંધી-વંટોળ સાથે વરસાદ પડશે એવી આગાહી હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કરી છે. પટેલે કહ્યું કે, મે મહિનો તોફાની રહેશે. શનિવારે નવસારી, ડાંગ, વલસાડ, છોટા ઉદેપુરના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

 અંબાલાલ પટેલે કહ્યું કે, 30 એપ્રિલથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને 2 તારીખથી 5 મે સુધી કમોસમી વરસાદ પડી શકે છે. 10 મે પછી આંધી તોફાન સાથે વરસાદી છાંટા પડશે. 8 મેથી 4 જૂન સુદી અરબી સમુદ્ધમાં સાઇક્લોકનનું નિર્માણ થશે. વાવાઝોડાને કારણે પણ વરસાદ પડશે અને 45 કિ.મીની ઝડપે પવન ફુંકાશે.

 એપ્રિલથી મે મહિનામા ભરણી, કુતિકા નક્ષત્ર અને રોહિણી નક્ષત્ર આવશે જે ગરમી લાવશે અને વરસાદ પણ લાવશે. વધારે પવન ફુંકાશે તો આંબા પરના મોર ખરી પડશે.

error: Content is protected !!