પ્રાંતિજ ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્રારા ગેરકાયદેસર મદ્રેસા ઓની તપાસ કરી કાર્યવાહી કરવા માંગ
– ત્રણ કચેરીઓમા આવેદનપત્ર આપી રજૂઆત કરી
– પ્રાંન્ત કચેરી , મામલતદાર કચેરી , પ્રાંતિજ પાલિકા મા આવેદનપત્ર આપી રજૂઆત કરી
– નિયમ વિરૂધ્ધ ચાલતી સંસ્થાઓ ઉપર કાર્યવાહી કરવા માંગ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા પ્રાંતિજ ખાતે ચાલતી ગેરકાયદેસર મદ્રેસા ઓની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે પ્રાંતિજ ખાતે કાર્યરત ત્રણ કચેરીઓ આવેદનપત્ર આપ્યુ



પ્રાંતિજ ખાતે કાર્યરત વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા પ્રાંતિજ ખાતે ચાલતી ગેરકાયદેસર મદ્રેસા ઓની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે પ્રાંતિજ પ્રાંન્ત કચેરી , પ્રાંતિજ મામલતદાર કચેરી તથા પ્રાંતિજ નગરપાલિકા ખાતે ૧૪ પ્રશ્નો ની માંગ સાથે રજુઆત સાથે આવેદનપત્ર આપીને લેખિત મા રજુઆત કરી હતી અને ૧૪ પ્રશ્નોના યોગ્ય જવાબો આપી આગળની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામા આવે તેવુ જણાવ્યુ હતુ તો આ પ્રસંગે નટુભાઈ બારોટ , સુનિલભાઈ કડીયા , યુવરાજ સિંહ રાઠોડ સહિત વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
