

પહેલગામ હુમલા પછી, પાકિસ્તાની નાગરિકોની તપાસ કરવામાં આવી હતી અને પછી તેમને દેશની બહાર જવાનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. આ પછી સરકારે કહ્યું છે કે આધાર, પાન, રેશનકાર્ડ ભારતીય નાગરિકતાના પુરાવા નથી. આ ફક્ત વહીવટી જરૂરિયાતો પૂરી કરે છે. આ ઉપરાંત, સરકારે એમ પણ કહ્યું છે કે, સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત દસ્તાવેજો ફક્ત જન્મ પ્રમાણપત્ર અને રહેઠાણ પ્રમાણપત્ર છે. આની યાદી પણ તૈયાર કરવામાં આવી છે.

અહીં તમને જણાવી દઈએ કે, કેન્દ્રએ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે ગેરકાયદેસર વિદેશી નાગરિકોએ ચકાસણી દરમિયાન આધાર, રાશન અને પાન કાર્ડ બતાવ્યું હતું. આવી સ્થિતિમાં, સરકારે કહ્યું કે દરેક દસ્તાવેજનો ઉપયોગ કોઈની નાગરિકતા ચકાસવા માટે થઈ શકતો નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) આધાર કાર્ડને ઓળખ અને રહેઠાણના પુરાવા તરીકે માને છે, પરંતુ નાગરિકતાનો પુરાવો નથી. આ જ વાત પાન અને રેશનકાર્ડને પણ લાગુ પડે છે. પાન કાર્ડનો ઉપયોગ કરવેરા હેતુ માટે થાય છે અને રેશન કાર્ડનો ઉપયોગ ખોરાક વિતરણ માટે થાય છે, જેમાંથી કોઈ પણ નાગરિકત્વની પુષ્ટિ કરતું નથી.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ઘણા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાન કાર્ડ અને UNHCR (યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ) દ્વારા બહાર પડાયેલા કાર્ડ પણ સાથે હોવાનું જાણવા મળ્યું છે. આનાથી ભારતીય નાગરિકતાને યોગ્ય રીતે ઓળખવામાં મુશ્કેલી પડી. તેથી હવે મતદાર ઓળખ કાર્ડ અથવા ભારતીય પાસપોર્ટ ફરજિયાત બનાવવામાં આવ્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે સરકાર જન્મ પ્રમાણપત્ર અને રહેઠાણ પ્રમાણપત્રને ભારતીય નાગરિકતા દર્શાવતા દસ્તાવેજો તરીકે માને છે. જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર અધિનિયમ, 1969, સક્ષમ અધિકારીઓને જન્મ પ્રમાણપત્રો બહાર પાડવાની સત્તા આપે છે, જે ભારતમાં જન્મના દાવાઓના આધારે નાગરિકતાને માન્ય કરે છે. બીજી બાજુ, જો આપણે રહેઠાણ પ્રમાણપત્ર વિશે વાત કરીએ, તો તે પ્રમાણિત કરે છે કે વ્યક્તિ ચોક્કસ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં રહે છે, જે ભારતીય નાગરિકતા ધરાવવાના દાવાને વધુ મજબૂત બનાવે છે. આ ઉપરાંત, સરકારી નોકરી, પાસપોર્ટ કે કોર્ટ માટે નાગરિકતાનો પુરાવો ફરજિયાત છે.