fbpx

પ્રાંતિજ મા ભર ઉનાળે વિજકંપની ના ધાંધીયા

Spread the love

પ્રાંતિજ મા ભર ઉનાળે વિજકંપની ના ધાંધીયા
– વુધ્ધ ,બાળકો , દર્દીઓ ગરમીમા શેકાઈ ગયા
– અવરનવર મેન્ટેનન્સ કરવા છતાય દિવસમા પાંચ થી આઠ વાર વિજળી ગુલ
– ઉનાળાની કાળજાર ગરમીમાં જ વિજ પ્રવાહ ચાલુ બંધ થતા નગરજનો નો ગુસ્સો સાતમા આસમાને
– રજૂઆતો બાદ પણ હમનહી સુધરેગે
           


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ભર ઉનાળે છાસવારે વીજપ્રવાહ ડુલ થતા નગરજનોમાં વીજ કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે તો આડા દિવસે વીજ કંપની દ્રારા વિજ પ્રવાહ બંધ કરી કરવામા આવતા મેન્ટેનન્સ ઉપર પણ અને સવાલો ઉઠયા છે


    પ્રાંતિજ ખાતે હમરાહમરા વીજ ધાંધીયા જોવા મળી રહ્યાછે અને અવરનવર છાસવારે પ્રાંતિજમા કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે વિજળી ડુલ થતા વુધ્ધો-બાળકો બિમાર સહિત લોકો ગરમી ત્રાહિમામ પોકારી ઉઠે છે અને મચ્છરજન્ય રોગચાળો વધે તેનો ભંય સંતાવે છે તો વીજ કંપની દ્રારા કાયમી ધોરણે ફોલ્ટ શોધી કપ્લેટ દુર કરવામા આવે તેવી માંગ પણ રહીશો દ્રારા ઉઠવા પામી છે ત્યારે અવરનવર નાનીભાગોળ , બજારચોક , ખોડીયારકુવા , ભોઇવાસ , તપોધન વાસ , ભાંખરીયા , એપ્રોચરોડ  વિસ્તારોમા દિવસમાં પાંચ થી સાત વાર વીજપ્રવાહ ડુલ થઈ જાય છે જેને લઈને નગરજનો ગરમી બફારો મા નગરજનો સેકાઇ જાય છે તો વિજકંપની મા અવરનવર રજુઆતો બાદ પણ પ્રાંતિજ વિજ કંપની દ્રારા કાયમી ધોરણે ઉકેલ ના લાવતા હાલતો નગરજનોમા રોષ જોવા મળી રહ્યો છે અને ભર ઉનાળે વિજ પ્રવાહ ચાલુ બંધ થતા નગરજનો ગરમીમા શેકાઈ જાય છે જેને લઈ ને હાલતો નગરજનોનો ગુસ્સો હાલતો સાતમા આસમાને  પોહચ્યો છે ત્યારે વિજ કંપની દ્રારા સત્વરે કાયમી ધોરણે ઉકેલ લાવે તેવી નગરજનોની માંગ પણ ઉઠવા પામી છે ત્યારે હાલતો હોતાહે હોને દો ચલતા હે જેવી સ્થિતી જોવા મળી રહી છે અને હમ નહી સુધરેગે તેવુ જોવા મળી રહ્યુ છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!