

ભાજપના નેતા અમીત માલવિયાએ સોશિયલ મીડિયા પર મુકેલી બે પોષ્ટ ચર્ચાનો વિષય બની ગઇ છે.
એક પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાકિસ્તાના ચીફ જનરલ આસિફ મુનીરના ચહેરાને જોડવામાં આવ્યો છે.માલવિયાએ લખ્યું કે, ઓપરેશન સિંદુરની સફળતા પર પ્રધાનમંત્રીને રાહુલ ગાંધીએ અભિનંદન પણ ન આપ્યા અને વારંવાર પુછી રહ્યા છે કે, ભારતે ઓપરેશન સિંદુરમાં કેટલાં જેટ ગુમાવ્યા?
રાહુલ ગાંધીએ ક્યારેય એવું ન પુછ્યું કે ભારતીય સેનાએ પાકિસ્તાનના કેટલા જેટ તોડ્યા? ભારતે પાકિસ્તાનના કેટલા એરપોર્ટ તોડ્યા?
અન્ય પોષ્ટમાં રાહુલને આજના સમયમાં મીર જાફર સાથે સરખાવવામાં આવ્યા છે. માલવિયાએ કહ્યુ કે, રાહુલ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. શું તેમને પાકિસ્તાનનું સન્માન નિશાન-એ પાકિસ્તાન મળશે?
રાહુલ ગાંધીએ 4 દિવસમાં 2 વખત વિદેશ મંત્રીને સવાલ કર્યો હતો કે ભારતના કેટલા જેટ તુટ્યા?