fbpx

દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, મુંબઈમાં નવજાત મળ્યું પોઝિટિવ, જાણો નવા વેરિયન્ટ JN.1 વિશે

Spread the love
દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, મુંબઈમાં નવજાત મળ્યું પોઝિટિવ, જાણો નવા વેરિયન્ટ JN.1 વિશે

કોરોના વાયરસની વાપસીના સમાચાર હવે વધારે ડરાવતા નથી, પરંતુ જે રીતે એશિયન દેશોમાં કેસ ઝડપથી વધ્યા છે, તે જોતા આપણે સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે. ભારતમાં છેલ્લા એક અઠવાડિયામાં જ 150થી વધુ કોરોનાના નવા દર્દીઓ મળ્યા છે. મુંબઈમાં કોરોનાના લગભગ 53  કેસ નોંધાયા છે. મુંબઈમાં, વૃદ્ધો સાથે જ, નવજાત બાળકો પણ કોરોના પોઝિટિવ થતા જોવા મળી રહ્યા છે. 4 મહિનાનું એક નવજાત પણ કોરોના પોઝિટિવ છે. શ્વાસ લેવામાં પરેશાની સાથે મુંબઈની કે.જે. સોમૈયા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું. 8 દિવસ વેન્ટિલેટર પર રહ્યું અને હવે ઓક્સિજન પર છે. બાળકો-વૃદ્ધો અને પહેલાથી જ બીમાર જેવા નબળા વર્ગોને કોરોના વધુ સતાવી રહ્યો છે.

બાળરોગ વિશેષજ્ઞ ડૉ. ઇરફાન અલીએ જણાવ્યું હતું કે, દર્દી જ્યારે આવ્યો હતો તો ગંભીર હાલતમાં હતો, શ્વાસ લેવામાં પરેશાની હતી, લગ્સમાં પાણી ભરાયું હતું, કોવિડ પોઝિટિવ આવ્યો, વેન્ટિલેટરમાંથી બહાર આવ્યો છે, પરંતુ હજી પણ તેને ઑક્સિજનની જરૂરિયાત છે. હૉસ્પિટલમાં શ્વાસની પરેશાનીવાળું વધુ એક બાળક છે, જે કોરોનાનો શંકાસ્પદ દર્દી છે, તેનો ટેસ્ટ રિપોર્ટ આવવાનો બાકી છે.

corona-1

મહારાષ્ટ્રમાં હાલમાં 56 સક્રિય કોરોનાના દર્દીઓ છે. મોટી સંખ્યા મુંબઈથી મળેલા દર્દીઓની બતાવવામાં આવી રહી છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી પ્રકાશ આબિટકર કહે છે કે, ડરવાની કોઈ જરૂરિયાત નથી, અમે કેન્દ્ર સરકારના નિર્દેશોની રાહ જોઈ રહ્યા છીએ. દર્દીઓ સામે આવતા રહેશે, પરંતુ કોરોના હવે પહેલાં જેવો રહ્યો નથી. દર્દીઓ સામાન્ય રીતે રહી શકે છે, પહેલાની જેમ ગભરાવાની જરૂરિયાત નથી. દર્દીઓની ઓળખની જરૂરીયાત નથી. જે દર્દીઓને પહેલાથી જ કોઈ બીમારી છે, તેમણે વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. અત્યારે કોઈ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)ની આવશ્યકતા નથી. જો કેન્દ્ર સરકાર તરફથી કોઈ નિર્દેશ આવે છે, તો અમે તેનું પાલન કરીશું.

ભારતમાં કોરોનાના 257 સક્રિય દર્દી છે.

છેલ્લા એક અઠવાડિયામાં જ 164 નવા કેસ દેશમાં નોંધાયા છે.

મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડુમાં સૌથી વધુ કેસ છે.

મહારાષ્ટ્રમાં એક અઠવાડિયામાં કોરોનાના 44 નવા દર્દી મળ્યા છે.

corona2

મુંબઈની KEM હૉસ્પિટલમાં કિડની-કેન્સરના 2 દર્દીઓના મોત અને તેમનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવવાની ચર્ચા થઈ રહી છે. કેમ કે હોંગકોંગ, સિંગાપોર, થાઇલેન્ડ, ચીનમાં વધતા કોરોનાના કેસ અને મોતોએ ભારતમાં પણ ચિંતા વધારી દીધી છે. આ વર્ષે કોરોનાનો નવો વેરિયન્ટ JN.1 પરેશાન કરી રહ્યો છે. જોકે WHOએ અગાઉ કહ્યું હતું કે JN.1 અને તેના જેવા વેરિયન્ટમાં ઇમ્યૂન સિસ્ટમથી બચવાની ક્ષમતા હોય છે, પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર પુરાવા નથી કે આ જૂના ઓમીક્રોન વેરિયન્ટ્સની તુલનામાં વધુ ગંભીર બીમારી કરે છે કે નહીં.

જોકે JN.1 વેરિયન્ટ સંપૂર્ણપણે નવો નથી, પરંતુ તે ઓમિક્રોનનો એક પેટા પ્રકાર છે, જે લાંબા સમયથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલો હતો.

દિલ્હીના AIIMS સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસના કોમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રોફેસર ડૉ. સંજય રાય, કોવિડ રસી (સહ-રસી) ના ટ્રાયલના ત્રણેય તબક્કાના મુખ્ય સંશોધક હતા.

કોરોના વાયરસના આ નવા પ્રકાર પર ડૉ. સંજય રાય કહે છે, JN.1 એ કોરોનાના ઓમિક્રોન વાયરસનો એક પ્રકાર છે. તેને ઓળખાયાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. એવું નથી કે આ નવો વાયરસ છે. તે કેટલું ગંભીર છે કે નહીં તે વિશે આપણે બધું જાણીએ છીએ.

તેઓ કહે છે, હાલમાં JN.1 વેરિયન્ટથી ડરવાની જરૂર નથી. આના કોઈ પુરાવા પણ નથી. આ સમયે આપણી પાસે જે પુરાવા છે તે મુજબ, તે સામાન્ય શરદી જેવું અથવા તેનાથી પણ નબળું હોઈ શકે છે.

error: Content is protected !!