fbpx

પેટ્રોલ પંપ પર ડીઝલને બદલે પાણી ભરી આપ્યું! વાહનો રસ્તામાં બંધ પડી ગયા, તપાસમાં આ વાત સામે આવી

Spread the love
પેટ્રોલ પંપ પર ડીઝલને બદલે પાણી ભરી આપ્યું! વાહનો રસ્તામાં બંધ પડી ગયા, તપાસમાં આ વાત સામે આવી

ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં, ચાલતા વાહનો અચાનક બંધ થવા લાગ્યા. કોઈની ગાડી રસ્તાની વચ્ચે બંધ પડી ગઈ અને કોઈની તો ગાડી ચાલુ જ ન થઈ. તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, આ લોકોએ જે પેટ્રોલ ટાંકીમાંથી ડીઝલ ભરાવ્યું હતું, જેમાં તેલને બદલે પાણી આવી રહ્યું હતું. ત્યાર પછી લોકોએ પંપ માલિકને ફરિયાદ કરી.

જ્યારે મામલો વહીવટીતંત્ર સુધી પહોંચ્યો, ત્યારે તપાસ હાથ ધરવામાં આવી. વરસાદને કારણે પેટ્રોલ પંપના ઓઇલ ટેન્કરમાં પાણી ભરાઈ ગયું હોવાનું જાણવા મળ્યું. ત્યાર પછી, વાહનોમાં એ જ તેલ/ડીઝલ ભરવામાં આવ્યું, જેના કારણે વાહનો થોડે દૂર ગયા પછી જ્યાં ત્યાં અટકી જવા લાગ્યા.

Water Diesel Scam

હકીકતમાં, મહારાજગંજ જિલ્લાના નિચલૌલ રોડ પર સ્થિત વિજય ફિલિંગ સ્ટેશને અચાનક ડીઝલને બદલે પાણી નીકળવાનું શરૂ થયું હતું, જેના કારણે ઘણા વાહનો બગડી ગયા અને વિવિધ સ્થળોએ અટકી જવા લાગ્યા. ડીઝલ ભર્યા પછી વાહન અચાનક બંધ થઈ જવાથી ગ્રાહકો હેરાન થઈ ગયા અને પંપ માલિકને આ અંગે ફરિયાદ કરી.

જેના પર પંપ ઓપરેટરે લોકોના વાહનોમાંથી પાણી કાઢવા માટે મિકેનિકને બોલાવ્યો પરંતુ એક વાહન માલિકે સ્થાનિક મિકેનિક દ્વારા પાણી કાઢવાનો ઇનકાર કર્યો. તેણે કહ્યું કે અમે અમારા વાહનની તપાસ ફક્ત અધિકૃત એજન્સીના વર્કશોપમાં જ કરાવીશું, ત્યારપછી મામલો વધુ બગડ્યો અને મુદ્દો પુરવઠા વિભાગ સુધી પહોંચ્યો. વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે વરસાદી પાણી પંપના ઓઇલ ટેન્કરમાં ઘૂસી ગયું હતું અને જ્યારે તે વાહનોમાં ઠાલવવામાં આવ્યું ત્યારે વાહનો બંધ થવા લાગ્યા હતા.

Water Diesel Scam

ગ્રાહક વિવેક મિશ્રાએ જણાવ્યું કે, જ્યારે અમે ડીઝલ ભરવા માટે પંપ પર આવ્યા ત્યારે તેમણે ડીઝલને બદલે પાણી ભરી આપ્યું, જેના કારણે થોડે દૂર ગયા પછી મારું વાહન અચાનક બંધ થઈ ગયું. આ અંગે ફરિયાદ થતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ગ્રાહકે પોતાના વાહનના મીટર બોક્સથી ચેક કરતા તેમાં પાણી હોવાના સંકેત મળતાં જ મૂંઝાયેલા ગ્રાહકને શંકા ગઈ કે ડીઝલની જગ્યાએ કંઈક બીજું જ ભરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન, પંપ મેનેજર અંકિતે કહ્યું કે, એક ટેન્કર હમણાં જ ખાલી કરવામાં આવ્યું છે, વરસાદ પડ્યો હતો તેથી શક્ય છે કે તેમાંથી પાણી આવ્યું હોય. ફરિયાદ મળ્યા પછી, અમે એક મિકેનિકને બોલાવ્યો અને વાહનોનું ચેકીંગ કરાવ્યું. આ ઘટનાએ જિલ્લા વહીવટીતંત્ર અને તેલ કંપનીઓની દેખરેખ પ્રણાલી પર પ્રશ્નો ઉભા કર્યા છે. જો ઇંધણની ગુણવત્તા નિયમિતપણે તપાસવામાં ન આવે તો, આવા અકસ્માતો મોટા નુકસાનનું કારણ બની શકે છે. હવે જોવાનું એ રહે છે કે પુરવઠા વિભાગની તપાસમાં આ બેદરકારી માટે કોને જવાબદાર ઠેરવવામાં આવે છે અને શું કાર્યવાહી કરવામાં આવે છે.

હવે પ્રશ્ન એ થાય છે કે, શું પેટ્રોલ પંપ બેદરકારીના કેન્દ્રો બની રહ્યા છે? શું સામાન્ય લોકોના વાહનો અને જીવન સાથે રમત રમનારાઓ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે? આ કેસ માત્ર ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન નથી પણ વહીવટીતંત્ર માટે ઊંઘ હરામ કરી દે તેવી ચેતવણી પણ છે. જાહેર હિતમાં તાત્કાલિક તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોનું પુનરાવર્તન ન થાય.

error: Content is protected !!