
પ્રાંતિજ શ્રી ધનશ્યામ લાલજી હવેલી ખાતે કેરી મનોરથ ઉત્સવ ઉજવ્યો
– વૈષ્ણવ સંપ્રદાય ના ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે વૈષ્ણવ સંપ્રદાય ના શ્રી ધનશ્યામ લાલજી હવેલી મંદિર મા કેરી મનોરથ ની ઉજવણી કરવામા આવી હતી




પ્રાંતિજ ખાતે આવેલ શ્રી ધનશ્યામ લાલજી મંદિર મા વૈષ્ણવ સંપ્રદાય ના અનુયાયી ભાઇ-બહેનો દ્રારા કેરી મનોરથ નુ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ દરવર્ષે ઉનાળા ની સીઝન મા કેરી નુ આગમન થાય છે ત્યારે વૈષ્ણવ હરિભકતો પ્રભુ સમક્ષ વિવિધ પ્રકાર ની કેરીઓ ધરાવી ને કેરીના મનોરથ નુ આયોજન કરે છે આ વર્ષેપણ જેઠ સુદ પૂનમ ના પવિત્ર દિવસે શ્રધ્ધાળુઓ તથા વૈષ્ણવ સંપ્રદાય ના લોકોએ કેરી મનોરથ નો ઉત્સવ ઉજવ્યો હતો વૈષ્ણવ ભાઇ-બહેનોએ શ્રી ધનશ્યામ લાલજી ના ગુણગાન ગાઈને ઉત્સવ ની ઉજવણી કરી હતી