
સૌરાષ્ટ્ર ના જાફરાબાદ થી કેદારનાથ જતા સાત સાયકલ યાત્રીઓનુ સ્વાગત
પ્રાંતિજ ના વડવાસા ખાતે સાત સાયકલ યાત્રીઓનુ સ્વાગત
– સાતેય સાયકલ યાત્રીઓ હરિદ્વાર કેદારનાથ દર્શન કરી ધન્યતા અનુભવશે
-૧૭૪૩ કિલોમીટર નું અંતર સાયકલ દ્રારા કાપશે

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના વડવાસા ખાતે હરિદ્વાર કેદારનાથ ના દર્શન કરવા જઈ રહેલ સાત સાયકલ યાત્રીઓનુ સ્વાગત કરવામા આવ્યુ
ગુજરાત ના સૌરાષ્ટ્ર ના જાફરાબાદ થી કેદારનાથ જતા સાત સાયકલ યાત્રીઓ નુ પ્રાંતિજ ના વડવાસા ખાતે સ્વાગત કરવામા આવ્યુ હતુ તો સાયકલ યાત્રીઓ નહી થાક , નહી તાપ , નહી ભુખ બસ એકજ મંથન સાથે કેદારનાથ ના દર્શન કરવા ધ્યેય સાથે નિકળ્યા છે અને કુલ -૧૭૪૩ કિલોમીટર નુ અંતર કાપી ૨૫ દિવસ મા હરિદ્વાર થઈ કેદારનાથ પહોચી ભગવાન ભોલે નાથ ના દર્શન કરી તેવોના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવશે તો સાયકલ યાત્રીઓએ જણાવ્યુ હતુ કે અમે સાતેય યાત્રીઓએ કોઇ પ્રતિજ્ઞા કે કોઇ માનતા નથી પણ સાતેયની મનની ઇચ્છા થતા કેદારનાથ જવા ઉત્કર્ષ થયા અને સાયકલ લઇ ને નિકળ્યા હતા