

સૌરાષ્ટ્રના વિસાવદરમાં 19 જૂન એટલે કે આજે વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે અને 23 જૂને પરિણામ જાહેર થવાનું છે. આ બેઠક પર ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પાટીદાર ઉમેદવારો ઉતાર્યા છે. વિસાવદર એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પાટીદાર સમાજના કદાવર નેતાનું ઘર છે અને આ બેઠક પર તેઓ 3 વખત ચૂંટણી જીત્યા હતા.
વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, ભાજપ કેશુભાઇને ભુલી ગયું છે. તો ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે કહ્યું કે, તાજેતરમા જ અમે કેશુ બાપાની પ્રતિમાનું અનાવરણ કર્યું. મતલબમાં ભાજપ અને આમ આદમી પાર્ટી દિવગંત નેતા કેશુ બાપાના નામ પર ચૂંટણી જીતવા માંગે છે. 23 જૂને પરિણામ જાહેર થશે પછી ખબર પડશે કે કોને ફાયદો થયો.