

રાજસ્થાન હાઈકોર્ટે રાજ્યભરમાં રખડતા કૂતરાઓ અને અન્ય પશુઓના વધતા જોખમને ધ્યાનમાં રાખીને કડક નિર્દેશ આપ્યા છે. આ સમાચારોની નોંધ લીધા બાદ ન્યાયમિત્રના રિપોર્ટ પર સરકારને જવાબ આપવા સમય આપતા જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા હતા. જસ્ટિસ કુલદીપ માથુર અને જસ્ટિસ રવિ ચિરાનિયાની ખંડપીઠ સમક્ષ ન્યાયમિત્ર વરિષ્ઠ વકીલ ડૉ. સચિન આચાર્ય, એડવોકેટ પ્રિયંકા બોરાના અને એડવોકેટ હેલી પાઠકે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

ન્યાયમિત્રએ કહ્યું કે, નાગરિકોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવી મ્યુનિસિપલ કોર્પોરેશનો, નેશનલ હાઇવે ઓથોરિટી અને અન્ય એજન્સીઓની કાયદાકીય જવાબદારી છે. એ છતા અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે રખડતા પશુઓના હુમલા અને કરડવાની ઘટનાઓ અનેકગણી વધી છે, એટલે માનવ જીવનને જોખમ છે અને દેશ-વિદેશથી આવતા પર્યટકો વચ્ચે આ રાજ્યમ માનવ રાજ્યની છબી ખરાબ થાય છે. AIIMS જોધપુરે 10 ઑગસ્ટના રોજ ન્યાયમિત્ર એડવોકેટ પ્રિયંકા બોરાનાને પત્ર મોકલીને પોતાના પરિસરમાં રખડતા કૂતરાઓની સમસ્યા અને દર્દીઓ તેમજ સ્ટાફ પર હુમલાની ઘટનાઓની માહિતી આપી હતી, જેની કોર્ટે નોંધ લીધી હતી. સુનાવણી બાદ, હાઇકોર્ટે રાજ્ય સરકાર અને સંસ્થાઓને સમય આપતા જરૂરી નિર્દેશ જાહેર કર્યા છે. જેમાં ડોગ શેલ્ટર અને ગૌશાળાઓની સ્થિતિ અંગે વિગતવાર અહેવાલ, મહાનગરપાલિકાઓએ આગામી સુનાવણી સુધી રજૂ કરવાનો રહેશે.
મેનપાવર અને સ્ટાફનું વિવરણ: પશુ પકડવાની ટીમ, ડૉક્ટરો અને અન્ય સ્ટાફની માહિતી કોર્ટને આપવામાં આવશે.
વિશેષ અભિયાન: શહેરના રસ્તાઓ પરથી રખડતા કૂતરા અને અન્ય પશુઓને દૂર કરવા માટે ચલાવવામાં આવશે.
અવરોધ પર કાર્યવાહી: કામમાં અવરોધ ઉભો કરનારાઓ લોકો સામે સંબંધિત કાયદા હેઠળ FIR નોંધી શકાય છે.
ફરિયાદ તંત્ર: દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્પલાઇન નંબર, E-mail ID જાહેર કરશે.
ફીડિંગ માત્ર શેલ્ટરમાં: ભોજન આપવાની મંજૂરી માત્ર કોર્પોરેશન સંચાલિત શેલ્ટરનો અથવા ગૌશાળાઓમાં જ આપવામાં આવશે.
સંવેદનશીલ સ્થળો પર પ્રાથમિકતા: મ્યુનિસિપલ કોર્પોરેશન જોધપુર AIIMS જોધપુર અને જિલ્લા કોર્ટ પરિસરમાંથી તાત્કાલિક રખડતા પશુઓને દૂર કરે.
હાઇવે પર પેટ્રોલિંગ: રાષ્ટ્રીય અને રાજ્ય હાઇવે ઓથોરિટી, હાઇવે પર પર નિયમિત પેટ્રોલિંગ કરીને રખડતા પશુઓને હટાવે. તેની સાથે જ, કેસની આગામી સુનાવણી 08 સપ્ટેમ્બરના રોજ નક્કી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે રખડતા કુતરાઓની સમસ્યાઓને ખૂબ જ ગંભીર બતાવી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનોને બધા વિસ્તારોમાંથી રખડતા કુતરાઓને વહેલી તકે ઉઠાવવા અને આશ્રય સ્થળોમાં રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ અભિયાનમાં બાધા નાખનારા લોકો વિરુદ્ધ સખત કાર્યવાહીની ચેતવણી પણ આપી હતી.

