
ગુજરાતાં ચોમાસાએ હજુ વિદાય લીધી નથી હજુ ચોમાસુ ગુજરાત પર છે જ. લોકોને મનમાં સવાલ છે કે નવરાત્રીના તહેવાર દરમિયાન વરસાદ ખેલ તો નહી બગાડે ને? હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસાની વિદાય રેખા, ભટીંડા,પિલાની, અજમેર, ડીસા, ભૂજમાંથી થઇ રહી છે અને અપર સરક્યુલેશન મરાઠાવાડ પર હજુ યથાવત છે એટલે ગુજરાતમાં 17થી 24 સપ્ટેમ્બર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ સાથે પણ પડશે.
નવરાત્રીના તહેવારમાં 22થી 24 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતાં સમાન્યથી મધ્યમ વરસાદ પડશે અને 7 દિવસ પવનની ગતિ 30થી 40 કિ.મીની રહેશે.
