fbpx

પોતાને કલ્કી અવતાર ગણાવનાર રાજકોટના વ્યક્તિનો કરૂણ અંત

Spread the love
પોતાને કલ્કી અવતાર ગણાવનાર રાજકોટના વ્યક્તિનો કરૂણ અંત

રાજકોટમાં એક ચોંકાવનારી વાત સે આવી છે. પોતાની જાતને ભગવાન વિષ્ણુનો 10મો અવતાર કલ્કી તરીકે ગણાવનાર એક વ્યકિતનો ખરાબ અંત આવ્યો છે.પોતાને ભગવાન કહેનારે આપઘાત કરી લીધો છે.

રાજકોટમાં સિંચાઇ વિભાગના નિવૃત અધિકારી રમેશ ફેકરે પોતાના ગળે ફાંસો ખાઇ લીધો છે. રમેશ જાતે લોકોને કહેતો કે પોતે ભગવાન વિષ્ણુનો 10મો અવતાર કલ્કી છે અને પૃથ્વી પર રાક્ષસોનો નાશ કરવા માટે જન્મ લીધો છે.

જો કે, આ રમેશ ફેકર અનેક વખત વિવાદમાં આવ્યો છે. એક વખત વિજ્ઞાન જાથાની ટીમ રમેશના ઘરે પહોંચી હતી તો તેણે ટીમને રાક્ષસ કહી હતી અને કહ્યું હતું કે વરસાદ અને દુકાળનો કંટ્રોલ મારા હાથમાં છે.

રમેશની પત્ની પણ પતિથી પરેશાન હતી અને પોલીસમાં માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ કરેલી.

error: Content is protected !!